માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા દ્વારા ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રાશનકીટ અને મીઠાઈ પેકેટ વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી અર્પણ કરી વિધવા મહિલાઓને પગભર કરાયા હતા. ગોવિંદભાઈ રામજી ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, અમૃતબેન ગોવિંદભાઈ ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, ગીતાબેન દલાલ-લંડન દ્વારા પાંચ મળી ટોટલ-પંદર સિલાઈ મશીનો, દરેકને રૂ. ૨૫૦૦ની રાશનકીટ મીઠાઈ પેકેટ તથા મશીન લઈ […]
Category Archives: Activities
બિહાર રાજ્યના ખગડીયા જિલ્લાનાં અમૌસી ગામનો ૩૪ વર્ષિય સતિષ આખરે ૧૦ વર્ષે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલન્ટીયર શ્રી પ્રબોધ મુનવરને તે નખત્રાણા શહેરમાંથી ૯ મહિના પહેલાં મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળે લઈ આવી તેની […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ધાણેટી–કચ્છનાં એક સદ્દગૃહસ્થ દાતાશ્રી તથા અન્ય વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી શુદ્ધ દેશી-ઘીનાં અડધો કિલોનાં એક હજાર મીઠાઇ બોક્ષ જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઇ હાથો હાથ વિતરણ કરવામાં આવેલ. ધાણેટી-કચ્છનાં એક દાતાશ્રી દ્વારા શુદ્ધ દેશી ઘીનાં ૭૫૫ મીઠાઈ બોક્ષ તથા ફરસાણ માનવજ્યોતને વિતરણ માટે આપવામાં આવેલ તથા દેવ્યાનીબેન […]
ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણની ઉજવણી નિમિત્તે, થોડું આપીને ઘણું બધું પુણ્ય કમાવાની તક જેવી સાધર્મિક ભક્તિનું આયોજન શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સ્થાનકવાસી સંઘ દ્વારા પૂ. દેશનાબાઈ મહાસતીજી તથા પૂ.યતનાબાઇ મહાસતીજીની શુભપાવન નિશ્રામાં કરવામાં આવેલ. જૈન શાસનના સુકાની એવા આપણા બાળકોમાં સેવા અને ભક્તિના ગુણો ખીલે અને એમનાં સમય અને શક્તિનો સદુપયોગ થાય એવા […]
માનવજ્યોત સંસ્થા ભુજને એકજ દિવસમાં બે મહિલા અને એક યુવતી મળી આવતાં, એક મહિલા અને એક યુવતી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને સોંપી હતી. જયારે અન્ય એક મળી આવેલ મહિલાને ભુજમાં તેના ઘર સુધી પહોંચાડાઈ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ હંગામી એસ.ટી.બસ સ્ટેશનથી એક મહિલા ઉ.વ. ર૭ બાળક સાથે, મીરઝાપર પોલીસ ચોકી પાસેથી એક […]
શ્રી આદિનાથ જૈન મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને દરેકને દિપાવલી પર્વ નિમિત્તે મીઠાઈ પેકેટ તથા ટીશર્ટ અર્પણ કરાયા હતા. માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો
અબડાસા તાલુકાનાં સાંધાણ ગામનાં નિવૃત્ત પ્રોફેસર અને હાલમાં અમદાવાદ વસતા શ્રી પૃથ્વીરાજભાઈ એન. ધરમશી દ્વારા શિલ્પાબેન નીલેશ ગણાત્રાનાં સહકારથી ગરમસાલો શ્રી વસંતભાઈ અજાણીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શંભુભાઈ જોષીએ આભાર માન્યો હતો. આ દરેક ગરમસાલ જરૂરતમંદ લોકોને અપાશે.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૩માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. બિહારનાં બે અને ઉત્તરપ્રદેશનાં એક મળી ત્રણ માનસિક દિવ્યાંગોને માનવજ્યોતનાં સામાજિક કાર્યકર દિનાનાથજી તેઓને ઘર સુધી પહોંચાડશે. પરિવારજનો સાથે વર્ષો પછી ફેર મિલન થશે. સ્વસ્થ બનેલા આ ત્રણે માનસિક દિવ્યાંગો બરેલી ટ્રેન મારફતે ઘર જવા પ્રયાણ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઝુંપડા-ભૂંગા-કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ પરિવારોનાં ૭૦૦ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. તેમજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ગરીબો અને શ્રમજીવીકોના ઘર સુધી પહોંચી જઈ મહિલાઓને હાથો હાથ સાડીઓ આપવામાં આવતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. ગરીબ અને શ્રમજીવી મહિલાઓ દિપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ અને ઉદેશ સાથે […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પાંચ દાતાશ્રીઓનાં સહયોગથી આઠ દિવ્યાંગોને દિપાવલી પર્વ પૂર્વે ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરીએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે દાતાશ્રીઓનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ. રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, […]