Category Archives: Activities

હરતા-ફરતા છાશ કેન્દ્ર દ્વારા દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા એક સગૃહસ્થ દાતાશ્રી પરિવારનાં સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. જેષ્ઠાનગર વિસ્તારમાં યોજાએલા કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે. દરરોજ ૩૦૦ લીટર છાશહરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પહોચશે. […]

ઉનાળાના પ્રારંભે ગરીબોના ઝુંપડે પહોંચ્યા ઠંડા પાણીના માટલા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારનાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રીઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. તથા દરેક પરિવારોને મીઠાઇ વિતરણ કરવામાં આવેલ. ભુજ શહેરનાં હંગામી આવાસ મધ્યેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ […]

રામનવમી તિમિત્તે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇ પેકેટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ પણ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. શહેરનાં ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર મધ્યે આવેલ મહાકાલેશ્વર મંદિર ચોકમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જરૂરતમંદોને અડધો-અડધો કિલોનાં મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા. વિતરણ વ્યવસ્થા નારાયણપરનાં ગોવિંદભાઇ ભુડિયા, […]

ચૈત્ર સુદ-૮ દુર્ગાષ્ટમી દિને વધી પડેલો પ્રસાદ ગરીબોનાં ઝુંપડે પહોંચ્યો. ૬ હજાર ગરીબો ભરપેટ જમ્યા

ચૈત્રી આઠમ દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ સ્થળોએ મહાપ્રસાદ યોજાયો હતો. વધી પડેલો પ્રસાદ માનવજ્યોત સંસ્થાને આપી દેવામાં આવેલ. સંસ્થાએ આ પ્રસાદ ગરીબોનાં પડે-ઝૂંપડે પહોંચાડતાં છ હજારથી વધુ જરૂરતમંદ ગરીબી ભરપેટ જમ્યા હતા. ઉમિયા માતાજી મંદિર- વાંઢાય, કાળીતળાવડી-પહર, રતનાલ, વરલી, સુમરાસર, માધાપર, ભુજની સમાજવાડીઓમાં થીજાવેલ મહાપ્રસાદની વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થાએ ભૂંગા ઝુંપડાઓમાં જઇને વિતરણ કરી હતી. […]

જન્મદિને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

શ્રી ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજ અને સર્વ સેવા સંઘ ભુજનાં અધ્યક્ષ અને સામાજિક કાર્યકર શ્રી જીગરભાઈ તારાચંદભાઇ છેડાનાં જન્મદિવસ નિમિત્તે માતુશ્રી લક્ષ્મીબાઇ જગશી છેડા પરિવાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાયું હતું. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ જીગરભાઇ છેડાને જન્મદિની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઘરથી તડછોડાયેલા વડીલોને તાત્કાલિક આસરો આપવા પાલારા મધ્યે વડીલોનો વિસામો આકાર પામશે

માનવથીત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુલુન્ડની પ્રેરણાથી માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ પાસે વડીલીનો વિસામો, નિલધામી, જેના મુખ્યપ્રવેસ હારનું ખાતમુહત કરાયું હતું ઘરથી તડછોડાયેલા, એકલા, અટુલા, નિરાધાર વૃદ્ધોનું ‘વડીલોનો વિસામો,, આશ્રય સ્થાન બની રહેશે. માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની સફળતા બાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દુઃખી વૃદ્ધી માટે પણ સેવા કાર્ય કરાશે. […]

વન વેરાણ તાં પાં હેરાન વિશ્વ વન દિવસ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારાવિશ્વ વન દિવસનિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. કિશોરભાઇ ગોસ્વામી, મીતાબેન ગોસ્વામી, વિનેશરામ સાધુ, ડો. પ્રતિક્ષાબેન પવાર, માવજીભાઇ આહિરની ઉપસ્થિતિમાં ફળ-ફુટના વૃક્ષો સાથે આશ્રમનાં પરીસરમાં ચારે બાજુ વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી શંભુભાઇ જોષીએ વનદિવસનું મહત્વ સમજાવ્યું હતું. “વન વેરાણ તાં પાં હેરાન’” તથા છોડમાં રણછોડ, […]

ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. છેલ્લા ૩ દિવસથી લોકજાગૃતિરૂપે કુંડા-ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા-ચકલીઘર લેવા પહોચ્યા હતા. શણગારેલા વાહન સાથે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સીસ્ટમનાં સથવારે રાહદરીઓ-વાહનચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા […]

મધ્યપ્રદેશના પતિ-પત્ની અને માતા-પુત્રોનું થયું ફેરમિલન

મધ્યપ્રદેશના કટની જીલ્લાનાં બીલહરી ગામની મહિલા સુનિતા ચૌધરી ઉ.વ. ૪૦ એક વર્ષથી ગુમ હતી .જેને શોધવામાં ભુજની માનવજ્યોત સંસ્થાને સફળતા મળી હતી. તેના પિતા અને ભાઇ મૃત્યુ પામ્યા છે. ૧૮ વર્ષ પહેલા સુનિતાનાં લગ્ન થયા હતા. પતિ મજુરી કામ કરે છે. સુનીતાને ૧૩ અને ૧૬ વર્ષનાં બે પુત્રો છે. જે માતા ઘરે પાછી ફરશે તેવી […]

માનવજ્યોતને અન્નદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં આશ્રમ માટે દાતાશ્રી ઝેડ.એમ.મુનશી દ્વારા રૂપિયા પાંત્રીસ હજારનું રાશન અર્પણ કરાયું હતું. સંસ્થા વતી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રીનો આભાર માન્યો હતો.