કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ પાલારા ખાસ જેલનાં કેદી ભાઇ-બહેનો, સ્ટાફ તથા કવાટર્સમાં રહેતા પરિવારોને અનેક ઔષધિયોમાંથી બનાવેલો તૈયાર ગરમ ઉકાળો, રોગપ્રતિકાર શક્ત વધારનાર આયુર્વેદિક ગોળીઓ તથા માસ્ક વિતરણ કાર્યક્રમ પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી ડી.એમ. ગોહેલ, ડો. પાવનભાઇ ગોર, માનવજ્યોતના પ્રબોધ મુનવરની ઉપસ્થતમાં પાલારા ખાસ જેલ મધ્યે […]
Author Archives: Admin Manavjyot
ભુજ તાલુકાનાં વિકસતા સામત્રા ગામમાં ડુંગરોમાંથી રસ્તો બનાવી આખા ગામને પીવાનું મીઠું અને શુદ્ધ પાણી પહોંચાડનાર ગામના દાતા શ્રી કાનજી કુંવરજી વરસાણી (કે.કે. પટેલ) તથા તેમનાં ધર્મપત્ની ધનબાઇ બહેનની જન્મભૂમિ પ્રત્યેની ભાવનાંઓને માનવજ્યોત સંસ્થાએ બિરદાવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, જયવીરસિંહ સોઢા તથા ભરતસિંહ ભોજુભા જાડેજાએ દાતાશ્રી નિર્મિત સામત્રા ગામનાં છ તળાવો, […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને દાતાશ્રી અ.નિ. નાનજીભાઇ હીરજીભાઇ માધાપરીયા અને અ.નિ. રવજીભાઇ હીરજીભાઇ માધાપરીયા-માધાપર હાલે બોલ્ટન યુ.કે. હસ્તે દેવુબેન નાનજી માધાપરીયા પરિવાર દ્વારા એક રૂમનું અનુદાન અપાયું હતું. સંસ્થાની પ્રવૃત્તિથી ખુશ થઇ દાતા પરિવારે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર તથા લવભાઇ ઠક્કરે દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી સ્વ. કુસુમબેન કાંતિલાલ લગધીર ચૌહાણનાં આત્મશ્રેયાર્થે તેમનાં પુત્ર નીલેશભાઇ ચૌહાણ માધાપર દ્વારા બે દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હવે અમો માર્ગો ઉપર હરી-ફરી શકશું. આ પ્રસંગે ઉપસ્થત સર્વેને માસ્ક વિતરણ કરાયા હતા. અત્યાર સુધી ૩૬૭ દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ […]
ભુજીયા તળેટી વિસ્તારનાં ઝુંપડામાં રહેતા શ્રમજીવીક પરિવારની છ વર્ષિય બાળકી ગુમ થતાં પરિવારજનોએ સવારે ૯ વાગ્યાથી તેની સતત શોધ ચલાવી હતી. બપોરે ૩ વાગ્યા સુધી આ બેબી ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજને આ બાળકી દાદુપીર રોડ ઉપરથી મળી આવતાં બાળકીને પ્રેમપૂર્વક જમાડી હતી. બાળકીને ઘરનું એડ્રેસ પણ યાદ ન હતું. આખરે […]
સ્વ. મદનસિંહ પરમાર તથા એડવોકેટ સ્વ. એમ.બી.સરદારનાં આત્માશ્રેયાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને તેમનાં મિત્ર વર્તુળ તથા પરિવારજનો દ્વારા મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બંને આગેવાનોની સેવાઓને બિરદાવી શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા સર્વે સભ્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા વિસ્તારનાં આગેવાન શ્રી જુવાનસિંહજી હમીરજી જાડેજાની ૮ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનોનાં સહકારથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને તથા વૃદ્ધ- વડીલોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન પરિવારજનો હસ્તે જમાડાયું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગુલાબ મોતા, મહેશ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ શહેરનાં આર.ટી.ઓ. સર્કલ પાસે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જરૂરતમંદ ૧૫૦ મહિલાઓને સાડીઓનું વિતરણત કરવામાં આવેલ. પૂર્વ નગર સેવીકા ઇન્દુબેન ઠક્કર, માલતીબેન ઉમરાણીયા, નૂતનબેન ઠક્કર વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, જેરામ સુતારે સહકાર આપ્યો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ગુમ થયેલા ૧૬૨૮ લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા છે. જેમાં ૯૩૩ રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગો, ૩૪૧ ઘરેથી રિસાઇને આવેલી મહિલાઓ યુવતીઓ, ૧૯૩ ગુમ થયેલા બાળકો તથા ૧૬૧ વૃદ્ધ વડીલોને શોધી સંસ્થાએ તેમને ઘર સુધી પહોંચાડી પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે. કેટલાક […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજનાં જેષ્ઠાનગર તથા ડીપી ચોક વિસ્તારમાં ૨૦૦ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થામાં સખી સહેલી મહિલા મંડળનાં અનીતાબેન ઠાકુર મદદરૂપ બન્યા હતા. પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, કનૈલાલ અબોટી, રફીક બાવા, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સહકાર આપ્યો હતો.