Monthly Archives: June 2025

બળબળતા તાપમાં શ્રમજીવીકોને પગરખા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવાર દ્વારા બળબળતા તાપ અને સખત ગરમી વચ્ચે 100 શ્રમજીવીકોને નવા બુટ-ચંપલ પગરખા વિતરણ કરવામાં આવતાં શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી. જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ બાળકોને પગરખા પહેરાવાયા હતા. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રાજેશ જોગી, સલીમ લોટા, વિક્રમ રાઠીએ સહકાર આપ્યો હતો.

કચ્છમાં રસ્તે રઝળતા 2100 માનસિક દિવ્યાંગો પોતાનાં રાજ્ય-ગામ-પરિવાર સુધી પહોંચ્યા

ગુમ લોકોનાં ઘર-પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યા છે. દરેક રાજ્યની અને સમગ્ર કચ્છની પોલીસ માનવતાનાં આ સેવાકાર્યમાં મદદરુપ બની છે. ટ્રેન કે અન્ય વાહનો મારફતે અને પગે ચાલીને કચ્છ પહોંચેલા અને કચ્છનાં ગામડાઓમાંથી મળેલા રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો […]