Monthly Archives: May 2024

વિશ્વ તમાકુ નિષેધ દિવસે લોકોને વ્યસન મુક્ત બનવા સમજ અપાઇ

વિશ્વ તમાકુ નિષેધ દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોલીવાસ અને વાસફોડાવાસ મધ્યે લોકોને તમાકુ, માવા, સીગારેટ, બીડી, ગુટકા છોડી જીવન બચાવવા સમજ પૂરી પાડવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, તમાકુ ઝેર છે… તેને ખાવાની કોઇ જરુર નથી. તમાકુ ખાતા રહેશો તો પરિવાર પાયમાલ થશે. વ્યસનમાં બરબાદી છે… તેને છોડવામાં આબાદી છે. ભૂતકાળની […]

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ત્રીજી પુણ્યતિથિ ઉજવાઇ

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, રંક બાળકો તથા ભૂખ્યાને રસ-પુરીનું ભોજન જમાડવામાં આવેલ. કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ ધારશીં શાહ, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ 00જાડેજા, સહદેવસિંહ જાડેજાએ તેઓનાં માનવસેવા-જીવદયાનાં કાર્યોને યાદ કરી અંજલિ આપીહતી.

રાજકોટ ગેમઝોનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઇ

રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા બાળકો-યુવાનો-પરિવારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ગેમઝોનમાં ભીષણ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, મુરજીભાઇ ઠક્કરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

માનવજ્યોત દ્વારા લીંબુ સરબત વિતરણ શરુ કરાયું

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપ વચ્ચે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા લીંબુ પાણીનું વિતરણ ઠેર-ઠેર કરવામાં આવી રહ્યું છે. સખત ગરમીમાં લોકો ચકર,ઉલ્ટી, માથાનો દુઃખાવો જેવી બિમારીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને ગરમીમાં ઠંકડ મળી રહે એ માટે માનવજ્યોત દ્વારા લીંબુ પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. જેનો મજુર-શ્રમજીવીકો લાભ લઇ રહ્યા છે. વિતરણ વ્યવસ્થા […]

લાખોંદ નજીકથી ગુમ પુરુષની લાસ મળી આવી

ગાંધીધામથી 16-5 નાં ગુમ થયેલ અને થોડી માનસિકસમતુલા ગુમાવનાર કમલ કિશોર પુષ્કનારાયણ ઝરંનીયા ઉ.વ. 52 નું ગાંધીધામ રેલ્વે વિસ્તારમાં અકસ્માત થયેલ અને તેને ભુજની જનરલ હોસ્પીટલમાં પહોંચાડવામાં આવેલ. સારવાર દરમ્યાન ત્યાંથી રજા લઇ અને તે રખડતો- ભટકતો રહ્યો હતો. લાખોંદ નજીક રામદેવપીર મંદિર સામે આવેલ ઓધવ પાર્ક નજીકની જાળીમાં આજે બપોરે તેની લાસ જોવા મળી […]

ગુમ મહિલાનું 28 વર્ષ પછી પરિવાર સાથે થયું મિલન છતાં તેણે પુત્ર અને બેનોને ઓળખી કાઢી

ઉત્તરપ્રદેશનાં સારનપુર વિસ્તારની મહિલા ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. આ મુસ્લિમ પરણિત મહિલા અનેક રાજ્યોનાં અનેક શહેરોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. તેણે અનેક મુશ્કેલીઓ વેઠી આફતોનો સામનો કર્યો. આખરે વર્ષો પછી તે રખડતી-ભટકતી ગુજરાતનાં બાયડનાં જય અંબે મંદ બુદ્ધિ મહિલા સેવા સમાજ ટ્રસ્ટ […]

કોરોના કાળમાં મહિલા સાથે નબનવાની ઘટના બની

બિહારનાં લકીસરાયા વિસ્તારની મહિલા ઉ.વ. 32 સાથે તેના પતિએ કરેલ દુવ્યવહારનો ભોગ બની હતી. બિહારની આ મહિલાનાં લગ્ન ઉત્તરપ્રદેશમાં થયા હતા. તેને દીકરો,દીકરી બે સંતાનો છે. કોરોનાકાળમાં તેની સાથે નબનવાની ઘટના બની. અને તેણે માનસિક સમતુલા ગુમાવી હતી. તેનાં પતિએ તેને અજાણી ટ્રેનમાં બેસાડી દીધી. અને ત્યાર પછી સૌ સગા-સંબંધીઓને જાણકારી આપી કે વિજ કરંટ […]

7 બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ

૩ મહિના દરમ્યાન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ 7 જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. 7 બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, રસીક જોગી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. […]

ચકલીઓની સેવાથકી મારો રેસ્ટોરેન્ટ સારો ચાલે છે

ભુજથી માંડવી માર્ગે ખત્રી તળાવ પાસે નારાણપરનાં પ્રવિણગીરી એન. ગોસ્વામી સંચાલિત શિવશક્તિ રેસ્ટોરેન્ટ આવેલું છે. આ રેસ્ટોરેન્ટમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં 50 થી વધુ ચકલીઘર ને કુંડા લટકતા જોવા મળે છે. આ દરેક ચકલીઘર હાઉસફુલ છે. દરેક ઘરોમાં ચકલીઓ જોવા મળે છે. આ રેસ્ટોરેન્ટમાં દિવસભર ચકલીઓનું સુમધુર ચીં….ચીં નું સંગીત સાંભળવા મળે છે. રેસ્ટોરેન્ટ માલિક પ્રવિણગીરી […]

100 પરિવારોને ઠંડા પાણીનાં માટલા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા ઠંડુ પાણી મળે તેવા હેતુ […]