Monthly Archives: March 2024

પાટ હનુમાન મંદિર માધાપર મધ્યેથી કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માધાપરનાં પાટ હનુમાન મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા- ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન લાયન્સ કલબ માધાપરનાં પ્રમુખ અને પાટ હનુમાન મંદિરનાં ચેરમેન શ્રી પ્રવિણભાઇ ખોખાણીએ જયારે અતિથિવિશેષપદ ટ્રસ્ટી શ્રી વીરજીભાઇ પિંડોરીયા, લાલજીભાઇ ગોરસીયા યુ.કે., મોરલીભાઇએ શોભાવ્યું હતું. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે તેમજ […]

રવેચીધામ મધ્યે રામકથામાં પૂ. મોરારીબાપુને કુંડા-ચકલીઘર અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેલા ઘર મળે એવા ઉદેશ સાથે કચ્છ ભરમાં જીવદયાનું આ અભિયાન ચાલી રહ્યું છે. રવેચીધામ મધ્યે રામકથા દરમ્યાન સાંજે યોજાયેલ સત્સંગસભામાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રાણાભાઇ પાંચાભાઇએ રામાયણી સંત શ્રી પૂ. મોરારી બાપુને કુંડા-ચકલીઘર અને […]

વેસ્ટ બંગાલનાં યુવાનનું 4 વર્ષે પરિવારજનો સાથે થયું ફેર મિલન

પશ્ચિમ બંગાળનાં ભૂપતિનગરનો યુવાન સુરજીત ઉ.વ . 24 ચાર વર્ષ પહેલાં ગુમ થયો હતો. આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે લઇ આવ્યા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]

ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. લોકજાગૃતિરૂપે કુંડા- ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા-ચકલીઘર લેવા પહોંચ્યા હતા. શણગારેલા વાહન સાથે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સીસ્ટમનાં સથવારે રાહદરીઓ-વાહનચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. વિશ્વ ચકલી […]

પાલારા સેવાશ્રમનાં આશ્રિતોને નવા વસ્ત્રો અર્પણ કરાયા

શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 60 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને નવા ડ્રેસ અર્પણ કરાતાં સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. ગ્રુપનાં અધ્યક્ષ વિપુલ પટેલ તથા ઉપાધ્યક્ષ વિરેન્દ્ર લોડાયાનાં માર્ગદર્શન હેઠળ ગોવિંદજી પટેલ, પ્રબોધ મુનવર, પ્રવિણ મોતા તથા કાર્યકર ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી અર્પણ વિધિ સંભાળી હતી. […]

સાંસદશ્રીનાં જન્મદિને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

કચ્છ મોરબીનાં લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનાં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને રેખાબેન ભગવતીભાઈ જોષી તથા મનીષભાઈ બારોટનાં સહયોગથી મિષ્ટાન સાથેનાં ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. આ પ્રસંગે ભાજપ કાર્યકરો હિતેશભાઈ ગણાત્રા, ભગવતીભાઈ જોષી, જયસિંહભાઈ પરમાર, કીરીટભાઈ રાઠોડ, ઉપસ્થિત રહી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. માનવજ્યોતનાં પ્રબોધ […]

ઉત્તરાંચલનો યુવાન બે વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેરમિલન

ઉત્તરાંચલ રાજ્યનો યુવાન દનીશઅલી ઉ.વ. 25 બે વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધી ચલાવી હતી. પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી હતી. આખરે તે રખડતો-ભટક્તો અનેક રાજ્યોનાં શહેરો અને ગામડાઓમાંથી થઇને સોમનાથનાં “નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ,, મધ્યે પહોંચ્યો હતો. સોમનાથ આશ્રમનાં સંચાલકોએ તેની ખૂબ જ સરભરા કરી સારવાર કરી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત […]