Monthly Archives: October 2021

માનવજ્યોતને સાઉન્ડ સીસ્ટમઅર્પણ કરાઇ

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરનાં સંત શ્રી પૂ. કોઠારી સુખદેવસ્વામી તથા પૂ. કોઠારીપરમેશ્વર સ્વામીની આજ્ઞાથી શામજી વેલજી વાઘાણી તથા પ્રેમજી વેલજી ભૂવા સુખપરવાલા તરફથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિકદિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને સ્ટેરીયો હેવી સાઉન્ડ સિસ્ટમઅર્પણ કરાઇ હતી. આ પ્રસંગે સંતશ્રીઓએ ઉપસ્થિત રહી સૌને મીઠું મોઢું કરાવ્યું હતું. દેવશીભાઇ ભુડીયા, રમજાનભાઇ મમણ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા […]

માનવજ્યોત સંસ્થા ભુજને જનરેટ સેટ અર્પણ કરાયો

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના સંત શ્રી પૂ. કોઠારી શ્રી સુખદેવસ્વામિતથા પૂ. કોઠારી શ્રી પરમેશ્વર સ્વામિની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને ૧૦ કે.વી. હેવી જનરેટ સેટ દાતાશ્રી દેવશીભાઇ હીરજી ભુડિયા, લાલજીભાઇ તથા ભરતભાઇ ભુડિયા, સંતકૃપા એગ્રો એન્જીનીયરીંગ સુખપર દ્વારા અર્પણ કરાયું હતું. સંસ્થાની લાંબા સમયથી ખૂટતી કડી દાતાશ્રી પરિવાર દ્વારા પરિપૂર્ણ […]

૩૦ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી શરદપૂનમપર્વની અનોખી ઉજવણી કરાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૦વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી અર્પણ કરી શરદપૂનમપર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગોવિંદભાઇ ભુડિયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા તથા નનીતાબેન કેરાઇએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા […]

દિપાવલીપર્વ નજીક આવતાં… માનવજ્યોત દ્વારા કપડા વિતરણ શરૂ કરાયું . ૮ હજાર લોકો સુધી કપડા પહોંચાડાશે.

દિપાવલી પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં જઇ કાચા મકાનો-ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા લોકોને તથા શ્રમજીવીકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવી રહેલ છે. ભુજ અને ભુજ વિસ્તારમાં રહેતા સુખી-સંપન્નશ્રીમંત પરિવારો વણવપરાયેલા જુના-નવા કપડા માનવજ્યોત સુધી પહોંચાડે છે. સંસ્થા આ કપડા જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે. ગરીબ-મજુર વર્ગ […]

માનસિક દિવ્યાંગ પરિવારનાં મહિલા સભ્યનાં અગ્નિદાહ માટે માનવજ્યોત સંસ્થા આગળ આવી

ભુજ શહેર સંસ્કારનગર એસ.ટી. વર્કશોપ સામે આવેલા યોગીરાજપાર્ક નજીક એક પરિવારની માનસિક દિવ્યાંગ મહિલાનું અવસાન થતાં માનસિક દિવ્યાંગ પરિવારની મદદે ભુજની માનવજ્યોત સંસ્થા આવી હતી. માનસિક દિવ્યાંગપત્ની રતનબેન આલા તુરી ઉ.વ. ૪૫ નું અવસાન થયું હતું. ઘરમાં અડધો દિવસ લાસ એમજ પડી રહી હતી. પતિ અને દીકરી બંને માનસિક દિવ્યાંગ એ પણ રૂમમાં સૂતેલા હતા. […]

આઠમનાં હવનાષ્ટમિનો મહાપ્રસાદ ૪ હજારથી વધુ ગરીબો સુધી પહોંચ્યો

નવલી નવરાત્રીનાં આઠમનાં દિવસે હનાષ્ટમિ, દુર્ગાષ્ટમિનિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરો, સમાજવાડીઓમાં મહાપ્રસાદ યોજાયા હતો. વધી પડેલો પ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડ્યો હતો. માધાપર, વરલી, પદ્મર, ડગાળા, નાગોર, રતનાલ, સાપેડા, સુખપર, ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર, ઉમિયા માતાજી મંદિર સુરલપીટ, રાજગોર સમાજવાડી-ભુજ, સ્થળેથી વધી પડેલી રસોઇ એકઠી કરી ગરમઅને તાજી રસોઇ ગરીબોનાં […]

માની મમતા, કરૂણા, પ્રેમની અનોખી દાસ્તાન ઉત્તરપ્રદેશનાં વૃદ્ધા છ વર્ષે ભુજમાંથી મળ્યા

ઉત્તરપ્રદેશનાં જાલૌન જીલ્લા, ઉરઇ તાલુકાનાં બોહદપુરા ગામના ૭૫ વર્ષિય વૃદ્ધ મહિલા મીથીલાદેવી બાલકૃષ્ણ શુક્લા છ વર્ષ પહેલા વર્ષ -૨૦૧૬ માં ગુમથયા હતા. ધનવાન પરિવારનાં વડીલ ગુમથતાં પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં મુશ્કેલી વેઠી આખરે આ વૃદ્ધ ભુજ પહોંચ્યા હતા. પગેચાલી ભુજ નજીકનાં નાગોર ગામે પહોંચ્યા હતા. અને નાગોર ગામનાં આઠ દિવસનાં મહેમાન […]

“સ્વર,, સંસ્થાનાં બહેનો દ્વારા નવલી નવરાત્રીએ માનસિક દિવ્યાંગોને રાસ રમાડાયા

સ્વર સંસ્થા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી ઠંડા પીણા અપાતાં માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સ્વર સંસ્થાનાં સ્થાપક દિર્શિતાબેન પંકજ કનાડા, દેવાંશીબેન ગઢવી, રીમાબેન પટેલ, દિપાલીબેન ઝાલા, સોનલબેન ભરતવાલા, બંસરીબેન પરમાર અને નેહાબેન પંડયાએ નવલી નવરાત્રિ નિમિત્તે માનસિક દિવ્યાંગોને રાસ રમાડ્યા હતા. સંગીતના સથવારે આશ્રમનાં માનસિક […]

મુસ્લિમબિરાદરે માનવજ્યોતને ૧૧ હજારનું અનુદાન આપ્યું

કેરા-કચ્છનાં ખોજા અજીજ સુલ્તાનઅલીએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી માનવજ્યોતને રૂા. ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.