Monthly Archives: June 2021

બેટી સુરક્ષા દળ દ્વારા સન્માનપત્ર અર્પણ કરાયું

કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી લોકોને મદદરૂપ બનનાર તેમજ ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ દ્વારા સવા વર્ષમાં સવા બે લાખ લોકોને માનવજ્યોતનાં માધ્યમથી સર્વે કાર્યકરોનાં સહકારથી ભોજન પહોંચાડનાર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને બેટી સુરક્ષા દળ મોદીનગર ગાઝિયાબાદ (યુપી) દ્વારા સંસ્થાનાં રાષ્ટ્રીય પ્રમુખ બબીતા શર્મા, ડો. એસ.કે. શર્માના માર્ગદર્શન હેઠળ બેટી સુરક્ષા દળના રાષ્ટ્રીય ઉપપ્રમુખ આશિકાબેન ભટ્ટનાં […]

બાળકોને આંબા – ખારેક – જાંબુનું વિતરણ કરાયું

વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આંબા,ખારેક, જાંબુનું શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં બાળકોને વિતરણ કરાયું હતું. દાતાશ્રી ભીમજીભાઇ દબાસીયા, લાલજીભાઇ વરસાણી – માનકુવા, પ્રેમજીભાઇ – દહીંસરા દ્વારા આ મળેલ વસ્તુઓનું બાળકોને વિતરણ કરવામાં આવેલ. બાળકોએ ખુશી અનુભવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રાજુ જોગી, ઇરફાન લાખા, રસીક જોગી, રાજેશ જોગીએ સંભાળી હતી.

વધુ ૧૫ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ હસ્તે ભરતભાઇ – લંડનનાં સહયોગથી ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રૂપિયા બે બે હજારની રાશનકીટ અર્પણ કરી પગભર કરવાના પ્રયત્નો કરાયા હતા. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આશિકાબેન ભટ્ટે તથા અતિથિવિશેષ પદ કુકમા લાખોંદ વચ્ચે આવેલા રામદેવ પીર […]

જન્મદિને ૫૦ વૃક્ષો વાવ્યા

દિપેશ જયસિંહ ભાટિયાએ પોતાનાં જન્મદિવસે માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ૫૦ વૃક્ષો વાવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, વિક્રમરાઠોડ, સલીમલોટાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

બિનવારસ લાસોનાં અસ્થિઓનું વિસર્જન કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી બિનવારસ લાસોની શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમવિધિ કરવામાં આવે છે. કોરોનાકાળનાં સવા વર્ષ દરમ્યાન એકઠી થયેલી ૨૬ બિનવારસ લાસોનાં અસ્થિઓ ખારી નદી સ્મશાનગૃહ મધ્યે માટલીમાં ભરીને સાચવીને રાખવામાં આવેલ. માનવજ્યોત સંસ્થાની ટીમની ઉપસ્થિતિમાં આ અસ્થિઓ ભરેલ માટલીઓને વિસર્જન માટે શ્રી પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રાજેશ જોગી દ્વારા ધ્રબુડી તીર્થે […]

માનવજ્યોત દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમકચ્છ વિરાંગના સ્પેશ્યલ સ્કોર્ડના ગાયત્રીબેન બારોટ, ભાવનાબેન આહિર, રમીલાબેન શાહુ, જયશ્રીબેન સાધુની ઉપસ્થિતિમાં સરકારી ગાઇડ લાઇન્સને અનુસરીને સંસ્થાનાં બહેનો યોગ ઉજવણીમાં જોડાયા હતા. બેટી સુરક્ષા દળનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આશિકાબેન ભટ્ટ, ડો. પ્રતિક્ષાબેન પવાર, હેતલબેન સિંઘે પણ યોગા કર્યા હતા. […]

ભીમ અગિયારસે ૧૫ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ હસ્તે ભરતભાઇ – લંડનનાં સહયોગથી ભીમઅગિયારસનાં પવિત્ર દિવસે ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રૂપિયા બે-બે હજારની રાશનકીટ અર્પણ કરી પગભર કરાયા હતા. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આશિકાબેન ભટ્ટે જયારે અતિથિવિશેષપદ વિરાંગના સ્પેશીયલ સ્કોર્ડનાં ગાયત્રીબેન બારોટ,૨મીલાબેન શાહુ તથા […]

૧૮ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં કર્યું ઘર તરફ પ્રયાણ વર્ષો પછી પરિવારજનો સાથે થશે ફેર મિલન

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ સ્થળેથી ૧૪ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૪ મળી એકી સાથે અઢાર માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કરતાં તેઓને શુભેચ્છા પાઠવવા એક નાનો કાર્યક્રમરામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ […]

શમશનીવટી આર્યુવેદિક ગોળીઓનાં ૧૦ હજારથી વધુ પેકેટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લા પંચાયત જિલ્લા આયુર્વેદિક શાખા અને જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ભુજ શહેરમાં દશ હજારથી લોકોને શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા શમશનીવટી આર્યુવેદિક ગોળીઓનાં પેકેટો વિતરણ કરવામાં આવ્યા છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહે […]

સંસ્થા દ્વારા ૩ બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ૩ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઇ સગું – સાવકું ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જોગી, વિક્રમસથવારાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ […]