Monthly Archives: March 2020

વંદેમારતમ્‌ ગ્રુપ દ્વારા ૭૦૦ લોકોને માસ્ક વિતરણ કરાયા

શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા લોકો કે જેમની પાસે મોઢા ઉપર બાંધવા માસ્ક નથી એવા લોકોને વંદેમાતરમ્‌ ગ્રુપ- જયભાઇ મારવાડા, ઉમરશીંભાઇ મારવાડા ગ્રુપનાં સર્વે કાર્યકરો દ્વારા માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરનાં સહકરાથી ૭૦૦ લોકોને તેમના ઘર સુધી જઇ માસ્ક અપાયા હતા. અને મોઢા ઉપર બાંધવા સૂચના અને સમજ અપાઇ હતી. બધા જ કમ્પાઉન્ડર તથા […]

તા. ૩૦ નાં ૧૦૯૩ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાયા ભુજમાં સેવાકાર્યને આગળ ધપાવતી માનવજ્યોત

ભુજ શહેરનાં વિવિધ મહિલા મંડળો, યુવક મંડળો, સંસ્થાઓ, મહાજનો દ્વારા મળેલ ફુડ પેકેટો માનવજ્યોત દ્વારા જરૂરતમંદો સુધી પહોંચાડાયા હતા. ભુજ ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ દ્વારા દરરોજ ૧૦૦ ફુડ પેકેટસ, વાગડ બે ચોવીસી જૈન યુવક મંડળ દ્વારા ૧૦૦ ફુડ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર દ્વારા દરરોજ૨૦૦ લોકો માટે ગરમ રસોઇ માનવજ્યોત સંસ્થાને આપવામાં આવતાં […]

૨૦૦ પરિવારોને સૂકો નાસ્તો તથા શાકભાજી અપાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં આશાપુરા નગરી વિસ્તારોમાં ૨૦૦ પરિવારોને સૂકો નાસ્તો તથા શાકભાજી અપાયા હતા. પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.

૭૦૦ લોકોને ફૂડ પેકેટસ પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ લોકોનાં સહકારથી સંસ્થા અને મંડળો પાસેથી મળેલા ૭૦૦ ફુડ પેકેટો જરૂરતમંદ લોકો સુધી પહોંચતા કરાયા હતા. જેની પાસે પૈસા નથી, ઘરમાં અનાજ નથી, તેવા લોકો માર્ગો ઉપર બેસી ફુડ પેકેટસ મળે તેવી રાહ જાતા નજરે પડે છે. માનવજ્યોતની ૧૬ સભ્યોની ટીમ તથા ૯ ડ્રાઇવરો સંસ્થાનાં વાહનો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં […]

૫૦૦ થી વધુ લોકોને ફુડ પેકેટસો પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને બપોરનાં ભાગે ફુડ પેકેટો પહોંચાડાયા હતા. શ્રી વાગડ બે ચોવીસી જૈન યુવક મંડળ ભુજ પ્રમુખ શ્રી મહેશ રાજપાર મહેતા, મંત્રી અશ્વિનભાઇ પારેખ તથા કાર્યકરોએ પૂરી-શાકનાં ૧૫૦ પેકેટો તૈયાર કરી માનવજ્યોત સંસ્થા સુધી પહોંચાડ્યા હતા. કપીરાજ હનુમાન મંદિર – મીરઝાપરનાં તરૂણભાઇ દરજી, હર્ષદભાઇ સુથાર અને મિત્રોએ […]

જરૂરતમંદ લોકોની મદદે અન્ય લોકો આવ્યા

દેશભરમાં લોકડાઉન થયા પછી જરૂરતમંદો ખાવાની વસ્તુઓ મેળવવા શોધ ચલાવી રહ્યા છે. ઘરની કમાવનાર વ્યક્તિ ઘરમાં પૂરાઇ રહેતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલનાં તબકે રાશનકીટ, પૂરી-શાક, તથા તૈયાર ભોજનની ખાસ જરૂરત ઉભી થઇ છે. જીલ્લા વહીવટી તંત્ર પણ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. મંદિર ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, સંસ્થાઓ તથા અન્ય ટ્રસ્ટો જરૂરતમંદ લોકોની મદદે […]

આવી કપરી પરિસ્થતિમાં પણ બે બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આવી કપરી પરિસ્થતિમાં છેલ્લા બે દિવસમાં બે બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ હતી. ઓરિસાનાં ૩૦ વર્ષિય યુવાનનું ગંભીર બિમારીનાં કારણે અવસાન થતાં અહીં તેનું કોઇ સગું-સાવકું નહોતા ‘બિ, ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાસ અંતિમક્રિયા કરવા માનવજ્યોતને જાણ કરાઇ હતી. મધ્યપ્રદેશનાં ૧૮ વર્ષીય યુવાનનું ખાસરા ગ્રાઉન્ડ ઝુંપડપટી વિસ્તારમાં અવસાન થતાં તેનું અહીં કોઇ […]

૨૦ મીઠાઇનાં વેપારીઓએ તૈયાર મીઠાઇ માનવજ્યોતને આપી દીધી મીઠાઇ કાર્ય વિતરણ ૩૦૦૦ લોકો સુધી પહોંચ્યો

કોરોના વાયરસનાં લીધે ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત પછી લોકોની મુશ્કેલીઓમાં મદદરૂપ બનવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો સેવા કાર્ય માટે આગળ આવ્યા છે. જીતેન્દ્રભાઇ ધારશીં શાહ તથા ભરતભાઇ સંઘવીને એક એવો વિચાર આવ્યો કે, ભુજનાં મીઠાઇનાં વેપારીઓની દુકાનોમાં માવા-દૂધમાંથી બનાવેલી તૈયાર મીઠાઇઓ પડી છે. જે બે ચાર દિવસ […]

મીઠાઇનાં વેપારીઓએ તૈયાર મીઠાઇ માનવજ્યોતને આપી દીધી

જયુબીલી ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા ખાવડા સ્વીટસ દૂધ- માવાની ૬૦ કિલો તથા જૂની ભીડ બજાર ચોક પાસે આવેલ આશાપુરા સ્વીટ-નમકીનનાં ભરતભાઇ ઠક્કરે પણ ૫૦ કિલો મીઠાઇ માનવજ્યોતને આપતાં સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે જઇ આ મીઠાઇનું વિતરણ કર્યું હતું. જરૂરતમંદ લોકો આ મીઠાઇથી બપોરનું ભોજન જમ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રફીક બાવા, રાજુ જાગી, ઇરફાન […]

હાલની પરિસ્થતિને ધ્યાને લઇ માનવજ્યોત દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા લોક ઉપયોગી સેવાઓ શરૂ કરવામાં આવેલ છે. વિતરણ વ્યવસ્થામાં કયાં પણ ૪ જણા ભેગા થશે તો એ વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે. જીલ્લા વહીવટી તંત્રની સૂચના અને નિયમોનું કડક પાલન કરી, કરાવીને સેવા કાર્ય હાથ ધરાશે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર, […]