સ્વ. તારાચંદભાઇ છેડાનાં ૭૩ માં જન્મદિવસે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

રાજ્યના પૂર્વ મંત્રી, અબડાસા-માંડવી વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય શ્રી, સર્વ સેવા સંઘ ભુજ તથા ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજનાં પૂર્વ અધ્યક્ષ સ્વ. તારાચંદભાઇ જગશી છેડાનાં ૭૩ માં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવાયું હતું.સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે સ્વ. તારાચંદભાઇ છેડાનાં સેવા કાર્યોને બિરદાવી તેઓને અંજલિ આપી હતી.
વ્યવસ્થા આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયાએ સંભાળી હતી.