રીન્યુપાવર કાું. નાં કર્મચારીઓએ ૧૦૦૦ કિલો ચોખા સંસ્થાને આપ્યા

રીન્યુપાવર કાું. ના કર્મચારીઓ દ્વારા અધિક માસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીગણને વિચાર આવ્યો કે, દાન-પુનનાં આ પવિત્ર માસમાં લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરીએ. 

રીન્યુ પાવર કાું. ના કર્મચારીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. ત્યાં રહેતા માનસિક દિવ્યાંગોની જરૂરિયાત જાણી સંસ્થાને ૧૦૦૦ કિલો ચોખાનાં ૪૦ બાચકા અર્પણ કર્યા હતા. અને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. 

રીન્યુ પાવર કાું. નાં શ્રી રામગીરી, લક્ષ્મણડેર, વિજયપ્રસાદ, રાજેશ પારિહાર, નીતિન ગોહિલ, વૈભવ સોરઠીયા તથા સર્વે સાથી મિત્રો આશ્રમસ્થળે પહોંચ્યા હતા. અને સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈ ખુશી વ્યક્ત કરી હતી. 

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટીએ સંસ્થાની સર્વે પ્રવૃત્તિઓની માહિતી આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી. વ્યવસ્થામાં પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, મહેશભાઈ ઠક્કરે સહકાર આપ્યો હતો.