ભુજ તાલુકાનાં વિકસતા સામત્રા ગામમાં ડુંગરોમાંથી રસ્તો બનાવી આખા ગામને પીવાનું મીઠું અને શુદ્ધ પાણી પહોંચાડનાર ગામના દાતા શ્રી કાનજી કુંવરજી વરસાણી (કે.કે. પટેલ) તથા તેમનાં ધર્મપત્ની ધનબાઇ બહેનની જન્મભૂમિ પ્રત્યેની ભાવનાંઓને માનવજ્યોત સંસ્થાએ બિરદાવી હતી.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, જયવીરસિંહ સોઢા તથા ભરતસિંહ ભોજુભા જાડેજાએ દાતાશ્રી નિર્મિત સામત્રા ગામનાં છ તળાવો, નહેર,ની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નૈરોબી સ્થત ગામનાં દાતાશ્રીએ ગામમાં આવી પોતાની રાહબરી હેઠળ અશકય કાર્યને શક્ય બનાવી, ડુંગરોની હારમાળામાંથી દરિયામાં વહી જતા પાલર પાણીનો ગામ માટે ઉપયોગમાં લઇ ગામની પાણી સમસ્યા કાયમી હલ કરી દીધી છે. આ ઉદાહરણ અન્ય ગામવાસીઓને પણ પ્રેરણા પૂરી પાડે છે. આ અવસરે રામજીભાઇ જાદવા વરસાણી, રવજીભાઇ માવજી વરસાણી
ઉપસ્થત રહ્યા હતા.
માનવજ્યોત સંસ્થા દ્વારા સંસ્થાની વિવિધ માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુÂક્ત લક્ષી કાર્યોની બુક તેમને અર્પણ કરાઇ હતી.