માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી માધાપરનાં સ્વ. લાલજીભાઈ જેઠાભાઈ ગોરસિયા પરિવાર દ્વારા સંસ્થાને રૂા. પચીસ હજારનું અનુદાન અપાયું હતું. દાતાશ્રી પરિવારે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, લવભાઈ ઠક્કરે દાતા પરિવારનો આભાર માન્યો હતો.