જીવદયાપ્રેમી સ્વ. વેલજીભાઇ મહેતાને શ્રદ્ધાંજલિ અપાઇ

જીવદયાપ્રેમી સ્વ. વેલજીભાઇ ઇંદરજી પ્રેમજી મહેતા રાપર-કચ્છની જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. તેમના સેવા કાર્યો સદાય યાદ રહેશે.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ આપી હતી.