Category Archives: પ્રવૃત્તિઓ

શ્રાદ્ધ તિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. રંક બાળકો […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરની ૧૨મી પુણ્યતિથિ ઉજવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા સ્વ. વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ૧૨મી પુણ્યતિથિએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. સ્વ. વાસુદેવભાઇની માનવસેવા જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મુળજીભાઇ ઠક્કર, રફીક બાવાએ ભાવાંજલિ આપી હતી.

મહારાષ્ટ્રનો ગુમયુવાન અઢી વર્ષે ઘરે પહોંચ્યો પિતા આર્મીમાં હતા

મહારાષ્ટ્રનાં પૂના શહેર નજીકનાં ગોરેભંડુ ગામનો રાજુ સુભાષ રાઠોડ ઉ.વ. ૪૮ અઢી વર્ષ પહેલા અચાનક ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ એના કોઇ સમાચાર ન મળતાં પરિવારજનો ખૂબજ નિરાશ થયા હતા. ભુજનાં જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી તેને રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે લઇ આવી ડો. જે.વી. પાટનકર પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. માનવજ્યોતનાં […]

શ્રાવણી અમાસની અનોખી ઉજવણી કરાઇ

પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા દિવસ અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા પહોંચ્યા હતા. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવી હતી. પ્રવિણભાઇ રામજી હીરાણી, અમીષાબેન વિનોદ આઇયા, ગુલાબચંદ હિરરામશર્મા, સ્વ. વિક્રમસિંહ એન. ઝાલા પરિવાર, દિનેશભાઇ માવજી વેકરીયા, અમૃતબેન ગોરસીયા, ઉષાબેન ગોર-સુખપર, રામદેવસિંહ મહિપતસિંહ જાડેજા, નરપતદાન પ્રભુદાન […]

કોઠારા હાઇસ્કુલનાં ભૂતપૂર્વ છાત્રોની ભુજમાં બેઠક યોજાઇ શાળા જીવનનાં નિઃસ્વાર્થ સબંધોની યાદ તાજી કરાઇ

કોઠારા જી.ટી. હાઇસ્કુલમાં અભ્યાસ કરી ગયેલા ભુજ અને મુન્દ્રા, ગાંધીધામવિસ્તારમાં રહેતા શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિવારની એક બેઠક શ્રી સોમચંદભાઇ લોડાયા તથા શ્રી પ્રભાતસિંહ જાડેજાનાં મુખ્ય મહેમાન પદે એકમ-ભવન ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં કોઠારા ગોકુલદાસ તેજપાલ મેમોરીયલ હાઇસ્કુલમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે શ્રી નરેન્દ્રભાઇ ગોરે સર્વેને મીઠડો આવકાર […]

શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે સ્વામિનારાયણ મહિલા સભા યોજાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મહિલા સત્સંગ સભા યોજાઇ હતી. લતાબેન ઝાલા, ભાવિકાબેન ઝાલા, ભાવનાબેન ભુસા, ભગવતીબેન તથા જયશ્રીબેન ઝાલાએ ધર્મ પ્રવચનો આપતાં પવિત્ર શ્રાવણ માસનો મહિમા સમજાવ્યો હતો. ૪૦બહેનોએ ભાગ લીધો હતો. ભજન,કિર્તનનાં રંગે રંગાઇ સૌ બહેનો-રાસ-ગરબાથી નાચી ઝુમી ભક્તિમાં તરબોડ બન્યા હતા. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ બહેનો પણ સભામાં […]

૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી અર્પણ કરી જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચનાં મંત્રી તથા બેટી સુરક્ષાદળનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મુક્તા ગૌરી […]

જન્મદિન નિમિતે સંસ્થાને અન્નદાન અપાયું

ડો. મહમદ અનસ ઝેડ મુનશી ભુજે પોતાનાં જન્મદિનની અનોખી ઉજવણી કરતાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને રૂા. ૪૧ હજારનું અન્નદાન આપ્યું હતું. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

નલીયામાં રખડતા-ભટકતા પરપ્રાંતિય ૩ માનસિક દિવ્યાંગોને ભુજ લવાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નલીયા શહેરમાં રખડતા-ભટકતા ત્રણ માનસિક દિવ્યાંગોને સંસ્થાના વાહન દ્વારા ભુજ લઇ આવવામાં આવેલ. બિહાર, યુ.પી. અને મધ્યપ્રદેશનાં આ ત્રણે યુવાનોને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખી તેઓની માનસિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તેઓ સ્વસ્થ બને તેઓને ઘર સુધી પહોંચતા કરાશે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રાજુ […]

ગુમપુત્ર મળતાં જ પિતા બેંગ્લોરથી ભુજ પહોંચ્યા જમીન વહેંચી પુત્રની સારવાર કરાવીશ.

મધ્યપ્રદેશનાં રિવા જીલ્લાનાં ત્યાથાર તાલુકાનાં હનગામા ગામનો યુવાન અજયપાંડે ઉ.વ. ૨૮ ગુમથયો હતો. ૧ મહિનાંથી ગુમયુવાનને શોધવા પરિવારજનો એ રાત-દિવસ એક કર્યા હતા. પિતા બેંગ્લોરમાં સર્વિસ કરતાં હતા. બીજો પુત્ર દિલ્હીમાં સર્વિસ કરે છે. પરિવારજનો ખૂબ જ ચિંતા સેવી રહ્યા હતા. ટ્રેન અને વાહન મારફતે તે કચ્છ સુધી પહોંચ્યો અને મુન્દ્રા તાલુકાનાં કારાઘોઘા ગામસુધી પહોંચ્યો. […]