શ્રી ગોસ્વામી મહિલા મંડળ માધાપર-કચ્છ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને શ્રાદ્ધનિમિત્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગોસ્વામી મહિલા મંડળ માધાપરનાં પ્રમુખ સાવિત્રિબેન ગોસ્વામી, ગીતાબેન, જોશનાબેન ,ભાવનાબેન, હીનાબેન સહિતનાં હોદેદારોએ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી અને મસ્તરામોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. આશ્રમસ્થળે શ્રાદ્ધપક્ષ નિમિત્તે સ્વજનોની આત્માની […]
Category Archives: પ્રવૃત્તિઓ
ગાંધી જયંતિ નિમિત્તે માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા જીવન જ્યોત કેન્સર રિલીફ એન્ડ કેર ટ્રસ્ટ મુંબઇ દ્વારા જૈન ભવન પાલડી મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવામાં આવેલ. ગુજરાત સરકારના પૂર્વ અગ્રસચિવ શ્રી પી.કે. લહેરીસાહેબ, કુલીનકાન્તભાઇ લુઠીયા, હરખચંદભાઇ સાવલા, પ્રતાપભાઇ દંડ, મુળરાજભાઇ હરિયાણી, જીતુભાઇ શેઠ, અચૂતભાઇ મહેતા, પરષોત્તમભાઇ પંચાલ, નાનકભાઇ ભટ્ટ તથા […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પરશુરામમહિલા મંડળ ભુજ દ્વારા સેવાશ્રમનાં મસ્તરામોને ભોજન કરાવવામાં આવેલ. પરશુરામમહિલા મંડળનાં જિલ્લા પ્રમુખ દિપ્તીબેન ગોરનું માનવજ્યોત સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇજોષી, આનંદ રાયસોની આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધવલભાઇ વ્યાસ, […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૪ વર્ષમાં ૪૭૫ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં વતન સુધી પહોંચ્યા છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ-કચ્છના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ સમગ્ર કચ્છમાં ચાલી રહી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા […]
માધાપર ઉપસરપંચ શ્રી અરજણભાઇ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન પીરસી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેઓશ્રીનાં વરદ્ હસ્તે આશ્રમસ્થળે વૃક્ષારોપણ કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. સંસ્થાને ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે નવમનો શ્રાદ્ધ માનસિક દિવ્યાંગોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિવિધાન સાથે ઉજવાયો હતો. સ્વ. પૂજાબેન ધનજી ભુડીયા-માધાપર, સ્વ. ડો. જેન્તીલાલ રામજી માણેક-નારાણપર, સ્વ. નારાણદાસ નંદજી સુંદાણી-મુંબઇ, સ્વ. મુક્તાબેન બિહારીલાલ ધારાણી-ભુજ, સ્વ. સંજયભાઇ ખીમજી શાહ, સ્વ. કરશનભાઇ પીંડોરિયા દહીંસરા, સ્વ. ધનુબેન જખુભાઇ ચાવડા-લાખોંદનાં આત્મશ્રેયાર્થે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવેલ. સામબાઇ કુંવરજી હાલાઇ-માધાપર, […]
શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજ મધ્યે સર્વજીવહિતાવહ મહોત્સવે શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પરાયણ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને માનસિક દિવ્યાંગો માટે ૧ મહિનાનું રાશન પરમવંદનીય સ્વામિશ્રીઓએ તથા પરમભક્તોની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ. ૪ માનસિક દિવ્યાંગોએ ઉપસ્થિત રહી અન્નદાન સ્વીકાર્યું હતું. પરાયણ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ માનવજ્યોત સંસ્થા ભુજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ આભાર […]
ભુજનાં ભીડબજાર વિસ્તારમાંથી એક સ્માર્ટ મહિલા તેનાં ૧ મહિનાનાં બાળક સાથે મળી આવી હતી. રડી રહેલી મહિલાને જોઇ જૂની ભીડ બજારનાં બીડીનાં વેપારી સંદિપભાઇ ઠક્કરે માનવજ્યોતને જાણ કરતાં સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવાએ માનવજ્યોત કાર્યાલયે તેને લઇ આવી ભોજન કરાવી ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં તેઓએ કાઉન્સીલીંગ કર્યું હતું. માનવજ્યોત તથા ૧૮૧ હેલ્પલાઇન મહિલાને મદદરૂપ […]
બિહારનો ૨૪ વર્ષિય યુવાન છોટેલાલ રખડતો-ભટકતો કચ્છનાં રાપર શહેર સુધી પહોંચ્યો હતો. ત્યાંની સેવાભાવી સંસ્થા ગ્રામસેવા સંગઠન-રાપરમાં તે થોડા સમય રહ્યો. સંસ્થાએ તેને ઘર સુધી પહોંચાડવા માનવજ્યોત સંસ્થા ભુજને સોંપ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે પહોંચી રહ્યા છે. સોળ શ્રાદ્ધના સોળે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, ભૂખ્યાને […]










