Category Archives: પ્રવૃત્તિઓ

અયોધ્યાનો યુવાન ભુજમાંથી મળ્યો સુખી-સંપન્ન પરિવારે ખુશી વ્યક્ત કરી

ઉત્તરપ્રદેશનાં અયોધ્યાનો ૨૪ વર્ષિય યુવાન નીરજ ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અયોધ્યાથી તે આઠ દિવસ પછી સૂરત પહોંચ્યો હતો. અને ડાયમંડનાં કારખાનામાં કામે લાગ્યો. તેની દવા ચાલુ હતી. બે દિવસ પછી તે સૂરતથી ટ્રેનમાં બેસી ગયો. અચાનક ભુજ આવી પહોંચ્યો. ભુજ રેલ્વે સ્ટેશને છેડા ટ્રાવેલ્સનાં હીરાચંદભાઇ છેડાએ અસ્વસ્થ યુવાનને જોઇ માનવજ્યોતનાં દિપેશ શાહને […]

શ્રી રામદેવપીર મંદિર કુકમા મધ્યે વૃક્ષારોપણ કરાયું

કુકમા-લાખોંદ મુખ્ય માર્ગ પર આશાપુરા કોલોની પાસે આવેલ શ્રી રામદેવપીર મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સાધુ શ્રી રઘુવીર બાપુ કુબાવત આદપુર તા. બગસરા જીલ્લો અમરેલી તથા સોનલબેન વાઘેલા સદ્ગુરૂ દિવ્યાંગ ચેરી. ટ્રસ્ટ રાજકોટ, રામાપીર મંદિરનાં મહંત શ્રી કાપડીદાદા, માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. શ્રી શંભુભાઇ જોષીએ છોડમાં…રણછોડ, વૃક્ષોવાવો… વરસાદ લાવોનાં નારા બોલાવ્યા હતા. […]

પાટણ જીલ્લાનો ૩ મહિનાંથી ગુમયુવાન ભુજમાંથી મળી આવ્યો

પાટણ જીલ્લાનાં હારીજ તાલુકાનાં રોડા ગામનો ૩૦ વર્ષીય યુવાન કરશન છેલ્લા ૩ માસથી ગુમહતો. પરિવારજનો તેને શોધી રહ્યા હતા. તે ૩ મહિના સુધી ગુજરાતનાં જુદા-જુદા શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે કોઇક અજાણ્યા વાહન મારફતે ભુજ પહોંચ્યો હતો. પોલીસ ૩૬ કવાટર બહારથી એચ.એચ. ચોધરીને મળી આવતાં તેમણે તેને માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ […]

શ્રી તારાચંદભાઇ છેડાનાં ૭૧ માં જન્મદિનની અનોખી ઉજવણી આયુર્વેદિક મેડીકલ કેમ્પનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

શ્રી સર્વ સેવા સંઘ ભુજ કાર્યાલય મધ્યે સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઇ છેડાનાં જન્મદિવસ પ્રસંગે નિઃશુલ્ક આયુર્વેદિક મેઘા મેડીકલ કેમ્પ યોજાયો હતો. જેનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ૧૦૦ થી વધુ દર્દીઓએ અગાઉથી જ રજીસ્ટ્રેશન મેળવ્યું હતું. કેન્સર, દમ, શ્વાસ, ડાયાબિટીસ, પેટ, આંતરડા રોગનાં દર્દીઓએ વધુ લાભ લીધો હતો. દિવ્યબ્રહ્મલોક સ્કુલનાં સ્વામિવૃંદાવન બિહારીજી, મહાલક્ષ્મીધામનાં ડો. […]

માનવજ્યોત સંસ્થા ભુજનો ૧૯માં વર્ષમાં પ્રવેશ શ્રી રામદેવ સેવાશ્રમપાલારાનો પાંચમાં વર્ષમાં પ્રવેશ

ભુજ અને કચ્છભરમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન લક્ષી પ્રવૃત્તિઓ કરતી માનવજ્યોત સંસ્થાએ ૧૮ વર્ષ પૂરા કરી ૧૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જયારે પાલારા પાસે આવેલા શ્રી રામદેવ સેવાશ્રમે ચાર વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા ૧૦૩૪ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ […]

નિઃશુલ્ક છાસ કેન્દ્રનો ૧ લાખથી વધુ જરૂરતમંદ લોકોએ લાભ લીધો

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત હરત-ફરતું નિઃશુલ્ક છાસ કેન્દ્ર ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત ૩ મહિનાં સુધી વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ચાલુ રખાયું હતું. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરાઇ હતી. જેનો ૩ મહિનામાં એક લાખથી વધુ જરૂરતમંદ લોકો બરફ, નમક, ઝીરાવારી છાસનો લાભ લીધો હતો. નિઃશુલ્ક છાસ કેન્દ્રને ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં સતત હરતું ફરતું રખાયું હતું. […]

સ્વ. જુવાનસિંહ જાડેજાની પુણ્યતિથિએ સેવા કાર્યો કરાયા

અબડાસાનાં અગ્રણી આગેવાન સ્વ. જુવાનસિંહજી હમીરજી જાડેજાને નવમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઇ હતી. અને એમની પુણ્યસ્મૃતિમાં વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધોને ઘરે બેઠાં ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ જેવા માનવસેવા, જીવદયાનાં કાર્યો કરાયા હતા. તેમજ ગરીબોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. વ્યવસ્થા […]

ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. પ્રસંગોપાત જુદી-જુદી સમાજવાડીઓમાં વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થા ભુજને આપી દેવામાં આવે છે. સંસ્થા આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે. જેથી અનાજનો બગાડ થતો અટકે છે અને ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે. ભોજન સમારંભોની વધી પડેલી […]

૭ વર્ષથી ગુમનંદ કિશોર ઘરે પાછો ફર્યો યાદશક્તિ પાછી ફરતાં તે ઘરે પહોંચ્યો

મહારાષ્ટ્રનાં કારંજાલાડ તાલુકાનાં ગિર્ઝા ગામનો નંદકિશોર ગાડગે ૭ વર્ષ પહેલાં ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેના ૩ ભાઇ, માં, પત્ની અને દીકરી તેની ઘરે પાછા ફરવાની સતત રાહ જોઇ બેઠા હતા. વર્ષોનાં વહાણા વિતી ગયા આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. પણ ઇશ્વર ઉપર આશા હતી કે, તેની કૃપાથી નંદુ એક દિવસ ચોક્કસ ઘરે […]

બેટી સુરક્ષા દળ દ્વારા સન્માનપત્ર અર્પણ કરાયું

કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી લોકોને મદદરૂપ બનનાર તેમજ ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ દ્વારા સવા વર્ષમાં સવા બે લાખ લોકોને માનવજ્યોતનાં માધ્યમથી સર્વે કાર્યકરોનાં સહકારથી ભોજન પહોંચાડનાર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને બેટી સુરક્ષા દળ મોદીનગર ગાઝિયાબાદ (યુપી) દ્વારા સંસ્થાનાં રાષ્ટ્રીય પ્રમુખ બબીતા શર્મા, ડો. એસ.કે. શર્માના માર્ગદર્શન હેઠળ બેટી સુરક્ષા દળના રાષ્ટ્રીય ઉપપ્રમુખ આશિકાબેન ભટ્ટનાં […]