Category Archives: Activities

વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઉજવાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીએ સેવાશ્રમનાં દરેક માનસિક દિવ્યાંગોનું નિદાન કર્યું હતું.  દરેક માનસિક દિવ્યાંગ ક્રોધ, ભય, હતાશા, ચિંતા, માનસિક તણાવમાંથી મુક્ત બને એ માટે સમજપૂરી પાડવામાં આવેલ. તેમજ આરોગ્ય દિવસે દરેકની આરોગ્ય […]

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

શ્રી મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણીનગર દ્વારા હીનાબેન હરેશભાઈ લધા પરિવારનાં સહયોગથી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું.  પ.પૂ. વંદનીય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામિ પણ માનવજ્યોતની સેવા પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને સંસ્થાને તેમની પ્રેરણાથી અગાઉ પણ અનુદાન અપાયું હતું.  માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નરશીભાઈ પટેલે મણીનગર શ્રી સ્વામિનારાયણ […]

માનવજ્યોતને પ૧ હજારનું અનુદાન અપાયું

શ્રી અંજાર ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા પ.પૂ. જયાનંદમુનિ મ.સા. ની પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજને જીવદયાકાર્યો માટે રૂા. ૫૧ હજારનું અનુદાન અપાયું હતું. જયેન્દ્રભાઈ પારેખ, હિતેશભાઈ એમ. શાહ તથા સર્વે ટ્રસ્ટી ગણે માનવજ્યોતની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો

માનવજ્યોતનાં માધ્યમથી ૯૪૭ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષ દરમ્યાન કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૯૪૭ માનસિક દિવ્યાંગોને સારી સારવાર આપી, સ્વસ્થ બનાવી તેનું ઘર શોધી આપી, પરિવારજનો સાથે ફેરમિલન કરાવવામાં સંસ્થાને સફળતા મળી છે. ડો. મહેશભાઇ ટીલવાણીએ દરેકને સારવાર આપી હતી.  છેલ્લા ૩ વર્ષથી સંસ્થાએ પાલારા-કચ્છ મધ્યે જેનું અહીં કોઈ સગું-સ્નેહી નથી તેવા […]

માનવજ્યોત દ્વારા અધિક માસની અનોખી ઉજવણી

અધિકમાસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના સાથે શાસ્ત્રોક્ત વિધિઓ કરવામાં આવેલ. દરેક વિધિઓ દિપકભાઈ જોશીએ કરાવેલ. કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, જશુબેન દેવશી ભુડીયા-માધાપર, અરવિંદભાઈ ચૌહાણ-કુકમા, દેવ્યાનિબેન એસ. દવે-માધાપર, સહિયર મહિલા મંડળ-ભુજ, વિપુલભાઈ મકવાણા, ગોસ્વામી અંકિતગર ચીમનગર, શીવજીભાઈ જેઠાભાઇ વરસાણી-માનકુવા, અરૂણાબેન મહેશચંદ્ર પંડ્યા, સ્વ. સુંદરબેન વેલજી પિંડોરીયા-માધાપર,એડવોકેટ શ્રી સુમિતભાઈ પંડ્યા, […]

રામદેવપીર મંદિર લાખોંદ દ્વારા તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં સહકારથી લાખોંદ નજીક આશાપુરા કોલોની બસ સ્ટેશન પાસે આવેલા શ્રી રામદેવપીર મંદિર દ્વારા ૨૫૦ તુલસીરોપા વિતરણ કરાયા હતા.  રામદેવપીર મંદિરના પૂજારી કાપડી દાદા, કેડાભાઈ રતાભાઈ આહિર, જખુભાઈ આહિર, ધનાભાઈ ભોપા આહિર તથા સર્વે ભક્તજનોએ તુલસી વૃક્ષ અતિ ઉપયોગી ઔષધિ છે, અને તુલસી છોડ દરેક ઘરે હોવું જરૂરી ગણાવ્યું […]

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા ૩૦૦ જરૂરતમંદ લોકોને ભોજન પહોંચાડાયું

કોરોના મહામારી સંકટ વચ્ચે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ૩૦૦ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા-ભૂંગાઓ સુધી જઈ ભોજન પહોંચાડાયું હતું. અને લોકો ભરપેટ જમીને ખુશી વ્યક્ત કરી હતી.  વિતરણ વ્યવસ્થા સિનિયર પેરાલીગલ વોલન્ટીયર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી. જરૂરતમંદો સુધી આ ભોજન પહોંચ્યું હતું.

સેવાભાવી ડોકટરશ્રીને અંજલિ અપાઇ

કચ્છ ભુજનાં જાણીતા અને સેવાભાવી ડો. જ્યોતિન્દ્ર છાયાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઈ હતી.  કાન-નાક-ગળાનાં જાણીતા ડો. જ્યોતિન્દ્રછાયાની સેવાની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ મહેશ્વરી, અરવિંદ ઠક્કર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોનીએ શ્રદ્ધાંજલિ આપી હતી. 

દહીંસરાથી તૈયાર રસોઇ બનાવી આવી ભુજમાં માનસિક દિવ્યાંગોને જમાડ્યા

કોરોના સંકટમાં દાતાશ્રીઓ તથા અનેકવિધ પરિવારોએ પોતાની પ્રવૃત્તિઓમાં બદલાવ લાવી જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવાની સાથે સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. અત્યારે સમય છે. માનવી-માનવીને મદદરૂપ બને અને સેવા જરૂરતમંદો સુધી પહોંચે.  ભુજ તાલુકાનાં દહીંસરા ગામનાં પ્રિતિબેન રમેશ ખીમાણીએ દહીંસરામાં પોતાનાં ઘરે રસોઈ તૈયાર કરી ભુજમાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક […]

માનવજ્યોત દ્વારા અધિકમાસની વિવિધ સેવાઓ સાથે થઇ રહેલી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અધિકમાસ (પુરૂષોત્તમમાસ) ની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી રહેલ છે. વિવિધ પરિવારો આશ્રમે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી રહ્યા છે.  ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ કબીર મંદિર, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, રામદેવપીર મંદિર લાખોંદ, દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસાયા હતા. માધાપરનાં સ્વ. […]