Category Archives: Activities

ગરીબનાં ઘરે પણ પરિવારજન ઘરે પાછો પહોંચવાનો અનેરો આનંદ પશ્ચિમ બંગાળનો યુવાન ૩ વર્ષ પછી ઘરે પહોંચ્યો

પશ્ચિમ બંગાળનો ૨૮ વર્ષિય યુવાન બેડન છેલ્લા ૩ વર્ષથી ગુમ હતો. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. ગરીબ અને નાનો એવો પરિવાર પુત્ર બેડન ઘરે આવશે તેવી રાહ જોઈ બેઠો હતો. ચિંતા અને રાહ જોવામાં ૩ વર્ષ પૂરા થવા આવ્યા હતા. મજુરીકામકરી પોતાનું પેટિયું રેડતા પરિવારની મુશ્કેલીઓનો પાર ન […]

નારાણપરમાં કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જીવદયાનાં કાર્યરૂપે કુંડા,ચકલીઘર,કાપડની થેલીઓ તથા જીવદયા સ્ટીકર વિતરણ કાર્યક્રમશ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાણપર મધ્યે યોજાયો હતો.  પ્રારંભે શાળાનાં આચાર્યાશ્રી વર્ષાબેન જોષીએ આવકાર પ્રવચન આપતાં કન્યા વિદ્યાલયની વિવિધ પ્રવૃત્તિઓની તથા ઇકો કલબ કન્વીનરશ્રી જિજ્ઞાબેન જોષીએ ઇકો કલબની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.  માનવજ્યોતનાં ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ કન્યાઓને આધ્યાત્મિક […]

નિઃશુલ્ક નિદાન કેમ્પનો ૧૦૮ દર્દીઓએ લાભ લીધો

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આયુર્વેદીક અને હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન કેમ્પ હંગામી આવાસ ભુજ મધ્યેયોજાયો હતો.જેનો ૧૬૮ દર્દીઓએ લાભ લીધો હતો.  જીલ્લા આયુર્વેદીક અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ આ નિદાન કેમ્પને દીપપ્રાગટ્ય કરી ખુલ્લુ મુકયું હતું. આ પ્રસંગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, આનંદ રાયસોની, કરશનભાઈ ભાનુશાલી, જેરામસુતાર, નીતીન […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો અબોલા પશુ-પક્ષીઓની મદદે આવ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ પશુ-પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થાઓ ઠેર-ઠેર ગોઠવવામાં આવી છે. માટીનાં કુંડા અને ચકલીઘર લગાડવાનો પ્રારંભ માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વરથી કરવામાં આવેલ.  કચ્છનાં અનેકવિધ મંદિરો, શાળા-કોલેજો,હાઈસ્કુલો, પ્રાથમિક શાળા, કન્યાશાળા, સરકારી કચેરીઓમાં સંસ્થા દ્વારા કુંડાઓ લટકાવી તરસ્યા પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવી […]

અનેક મુશ્કેલીઓ વેઠતી વેઠતી ૩૫ વર્ષિય મહિલા આખરે પોતાનાં ઘર સુધી પહોંચી, પરિવારજનો સાથે ૩ વર્ષ થયું મિલન મેળો માણવા ગઇ અને ગુમથઇ

ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ જીલ્લાનાં હિંમાથુપુર ગામની ૩૫ વર્ષિય મહિલા અનુષ્કા તેનાં સગા સબંધીઓ સાથે કાશગંજમાં મેળો જોવા ગઈ હતી. અને અચાનક ત્યાંથી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેના ભાઈએ ભોજપુર પોલીસ સ્ટેશને તા. ૧૨-૨-૨૦૧૮ ના ફરિયાદ નોંધાવી હતી. પટીયાલી સ્ટેશનેથી તે ભૂલથી ટ્રેનમાં બેસી ગઈ, અને કોઈક અજાણ્યા સ્થળે પહોંચી ગઈ.  સતત ૩ […]

સમુહલગ્ન પ્રસંગે માનસિક દિવ્યાંગો તથા વૃધ્ધોને ભોજન કરાવાયું

પ.પૂ. ગુડથરવાળા મતિયા દેવ તથા અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ને સમર્પિત પ્રથમ નિઃશુલ્ક “કન્યા વણજ યજ્ઞ” નિમિત્તે નલીયા મધ્યે યોજાયેલ સમૂહલગ્ન પ્રસંગે દાતા શ્રી દામજીભાઇ કાંયાભાઈ ડોરૂ (મોટા કાંડાગરા) હાલે ગાંધીધામ પરિવાર તથા નલીયા-અબડાસા મહેશ્વરી સમાજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને તથા ભુજનાં એકલા-અટુલા-નિરાધાર-૧૦૦ વૃદ્ધોને મિષ્ટાન – ફરસાણ સાથેનું […]

માનવજ્યોત દ્વારા “વિશ્વ ચકલી દિવસ” ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. છેલ્લા ૩ દિવસથી લોકજાગૃતિરૂપે કુંડા-ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા ચકલીઘર લેવા પહોંચ્યા હતા.  સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધતું જતું […]

પર્યાવરણ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવીએ (૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ) – પ્રબોધ મુનવર

આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઈ ગયેલા હોલા, કાગડા, પોપટ, કાબર, ગીધ, સમડી, કબુતર પછી હવે મોટાપ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.  એક હતો ચકો એક હતી ચકી વાર્તા હવે ભૂંસાઈ રહી છે શહેરના બિલ્ડીંગોના ગાઢ વિસ્તારોમાં ચકા-ચકી પોતાનાં ઘરનું એડ્રેસ શોધતા-શોધતા એવા થાકી […]

માનવીએ પોતાની રહેવાની વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષી ચકલીની વ્યવસ્થા ન કરી લુપ્ત થતી ચકલીઓને બચાવી લઇએ. ચકલી કહે છે… અમારું પણ એક ઘર જોઇએ… ૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ

કચ્છમાં ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. કચ્છમાં લુપ્ત થઇ ગયેલા કાગડા પછી હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.  માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાનાં બદલે છત, પ્રદુષણ, નવી રહેણી કરણી, ઉંચા bમોબાઈલ ટાવરો, જંતુનાશક દવાઓનાં વપરાશ વિગેરે કારણોથી કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ […]

આંધ્રપ્રદેશનો યુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો પત્ની-બાળકો સાથે થયું ફેરમિલન

આંધ્રપ્રદેશનાં ગુન્ટુર જીલ્લાનાં મચેરલા ગામનો ૩૧ વર્ષિય યુવાન નગીનલાલ લક્ષ્માયા પાંચ વર્ષ પછી પોતાનાં ઘર સુધી સુખરૂપે પહોંચ્યો છે. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને છ મહિના પહેલાં લાખોંદ પાટિયા પાસેથી મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી તેની સારવાર શરૂ કરવામાં આવી. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીની સારવારથી તે જલ્દી સ્વસ્થ […]