શ્રી મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણીનગર દ્વારા હીનાબેન હરેશભાઈ લધા પરિવારનાં સહયોગથી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું.
પ.પૂ. વંદનીય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામિ પણ માનવજ્યોતની સેવા પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને સંસ્થાને તેમની પ્રેરણાથી અગાઉ પણ અનુદાન અપાયું હતું.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નરશીભાઈ પટેલે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટીગણ તથા કિર્તીભાઈ જાદવજી વરસાણીનો આભાર માન્યો હતો.