શ્રી કોઠારા જૈન મિત્ર મંડળ મુંબઇ દ્વારા ૩૯ મું સામૂહિક ક્ષમાપના, સ્નેહમિલન,સ્વામિવાત્સલ્ય, તપસ્વીઓનું બહુમાન, શૈક્ષણિક સન્માન કાર્યક્રમ જૈનમ્ બેંકવેટ હોલ ભાડુંપ મધ્યે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પ્રવિણભાઇ શામજી ધરમશીંએ જયારે અતિથિવિશેષ પદ તરૂણભાઇ રતનશીં લોડાયા, હીરાચંદભાઇ દામજી દંડ, તેમજ નલીનભાઇ અજાણી, હેમંતભાઇ અજાણી, મયંક રૂપેન ધુલ્લા, અનીતા ધરમશીં, દીનેશ અજાણી તથા અનીલ મોતાએ શોભાવ્યું […]
Author Archives: Admin Manavjyot
શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાનાં કાર્યને શ્રેષ્ઠ કાર્ય માનતા પરિવારો, પોતાનાં સ્વજનનોની પુણ્ય સ્મૃતિમાં શ્રાદ્ધ નિમિત્તે આવા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત પાલારા-કચ્છ મધ્યેનાં શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી શ્રાદ્ધની ઉજવણી કરી પુણ્યનું ભાથું બાધ્યું હતું. તેવું શ્રી સુરેશ માહેશ્વરીએ જણાવ્યું હતું.
સમાજ અને શાસનનાં સર્વ શ્રેષ્ઠ કાર્યો, તથા દેશભરમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા અને સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરવા બદલ શ્રી જયેશ ભાગચંદ જૈન કોઠારા હાલે મુલુન્ડને જૈન સમાજનો પ્રતિષ્ઠિત “દર્શન સાગર એવોર્ડ-૨૦૧૮” અર્પણ કરવામાં આવ્યો હતો. નાકોડા દર્શન ધામ (વસઇ પાલઘર) મધ્યે રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય શ્રી ચન્દ્રાનનસાગર સૂરીશ્વરજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં યોજાયેલ સમારોહમાં […]
આર.ટી.ઓ રિલોકેશન વિસ્તારમાં આવેલ સ્વ. ભાનુબેન મગનલાલ ઠક્કર (માણેક) ભુજનાં સ્મરણાર્થે સંચાલિત “જલારામ અમૃતજળ” પાણીનાં પરબનો માત્ર પાંચ મહિનાંની અંદર વીશ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પૂર્વ શિક્ષક શ્રી મગનલાલ ઠક્કર અહીં સેવાઓ આપી રહ્યા છે. ગામડાઓ, શહેરોનાં લોકો તથા મજુર વર્ગ, ડ્રાઇવરો, અન્ય રાહદારીઓએ આ પરબનું ઠંડુ પાણી પી શાંતિ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. […]
શ્રી કચ્છી દસા ઓશવાળ જૈન સમાજ ની એક અદ્ભુત સંગીતકલા “પંખાવાજ” આજે પણ લોકપ્રિય રહી છે. વિસર્તી આ સંગિતકલા ને આજે પણ સમાજવાસીઓ એ જીવંત રાખી છે. કચ્છી દસા ઓશવાળ જૈન સમાજની વિવિધ ગામો – સહેરો ની પંખાવાજ મંડળી ઓ એ તેરા ગામે રાતભર રમઝટ જમાવી હતી. પ્રાચીન પંખાવાજ સત્વોની ગાયકી જોવા ગામો ગામના સમાજ […]
ભુજની જનરલ હોસ્પીટલમાં છેલ્લા ૮ દિવસ દરમ્યાન મૃત્યુ પામેલ અજાણી ૪ વ્યક્તિઓની બિનવારસ લાસો પોલીસ રિપોર્ટ અને મૃત્યુનાં પ્રમાણપત્ર સાથે માનવજ્યોતને સોંપવામાં આવી હતી. તા. ૨૬-૮ નાં માનવજ્યોત સંસ્થા ભુજને આર.ટી.ઓ. વિસ્તારમાંથી એક વૃદ્ધ વડીલ ઉ.વ. ૮૦ બિમાર હાલતમાં મળેલ. જેનું તા. ૨૮-૮- નાં ભુજની જનરલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ. ભુજ બી ડીવીઝન પોલીસ […]
ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં માનસિક દિવ્યાંગ દર્દીઓનાં કાંડે રક્ષા બાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ-શરણાઇનાં સૂરો સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી. કાર્યક્રમનું અતિથિવિશેષ પદ ૧૮૧ અભ્યમ્ સેવાના નિરૂપા બારડ, નગર સેવક માલશી નામોરી, આમદભાઇ જત, સહદેવસિંહ જાડેજા, કે.એન. ચાકી તથા પૃથ્વીરાજસિંહ […]
રસ્તે રખડતા-ભટકતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા તેમજ લાગણી ગુમાવી બેઠેલા લોકોને પુનઃ નવજીવન મળે તે માટે માનવજ્યોત સંસ્થા આવા માનસિક દિવ્યાંગો માટે કાર્ય કરી રહી છે. જ્યારે એની હાલત જાઇએ ત્યારે આંખમાં આંસુ સુકાતા નથી. અને જ્યારે પરત મુળ અવસ્થા પામે ત્યારે આંખમાં હરખનાં આંસુ સમાતા નથી. પથ્થર દિલને પિંગળાવી નાખે તેવી અજબ-ગજબની પરિસ્થિતિમાંથી […]
માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને બહુચરાજી પાસેના સુંવાળા ગામની એક યુવાન મહિલા ભુજમાંથી મળી આવતા તેમજ ભુજમાંથી બીજી એક યુવાન મહિલા મળી આવતાં મહિલા હેલ્પ લાઇન ૧૮૧ ને સોંપાઇ હતી. કેરા ગામનો ૪૦ વર્ષિય માનસિક અસ્થિર યુવાન ભુજમાંથી મળી આવતાં તેને કેરા મધ્યે પરિવારજનોને સોંપાયો હતો.