Author Archives: Admin Manavjyot

નારાયણસરોવર-કોટેશ્વર-માતાનામઢમાં દર્શનાર્થી ભાવિકોને કાપડની થેલીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નારાયણસરોવર, કોટેશ્વર, માતાનામઢ તિર્થધામોનાં  દર્શનાર્થે આવેલ ભક્તજનોને પ્લાસ્ટીકનાં થેલી ઝબલાનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવાની સમજ આપી કાપડની થેલીઓનું વિતરણ કરી પર્યાવરણને બચાવવા, ગૌ માતાઓને બચાવવા અપીલ કરવામાં આવેલ. કાપડની થેલીઓ માટે સોની ખેતસી ખેંગાર ચેરીટેબલ ટ્રસ્ટ ભુજનો સહકાર મળેલ. નારાયણસરોવર તિર્થનાં કારભારી સોનલબેન […]

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સુઇ જાય છે ત્યારે ભુજમાં થતી પ્રવૃત્તિથી અનેક ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ – પાલારા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં  લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી,  કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક […]

કચ્છમાં રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો સંસ્થાએ ૨૫૦ માનસિક દિવ્યાંગોને તેમનાં ઘર સુધી પહોંચાડી દીધા

કચ્છમાં રસ્તે રઝળતા, માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર માનસિક દિવ્યાંગોની વ્હારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે. કચ્છનાં ૧૦ તાલુકા મથકો અને ગામડા-શહેરોમાંથી આવા લોકોને માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી. બાલ કટીંગ, સ્નાન, નવા વ†ો, ભોજન, રહેવા, સુવાની વ્યવસ્થા સાથે મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારી સારવાર અપાવી તેઓને સ્વસ્થ બનાવવામાં […]

તેલાંગણાં રાજ્યનો યુવાન જાદેવઅલી ૩ વર્ષે ઘરે પહોંચ્યો

તેલાંગણાં રાજ્યનો ૨૪ વર્ષિય યુવાન જાદેવઅલી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અન્ય રાજ્યોમાંથી થઇ તે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને તે નલીયા-તેરા માર્ગે ગર્મી અને બળબળતા તાપમાં પગે ચાલ્યો જતો મળ્યો હતો. તેને રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવ્યો. ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી તેની સારવાર કરાવવામાં આવી. સંસ્થાનાં સામાજિક કાર્યકર […]

માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા શ્રી ગુજુભાઇ

ગુજરાતી નાટ્ય અને ફિલ્મી કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા ઉર્ફે ગુજુભાઇએ અમદાવાદ મધ્યે ભુજની માનવજ્યોત સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, તનિષ્ક જૈન, જયાબેન મુનવર, અમીતા જૈન, ગીતાબેન ઝવેરીએ માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપતાં શ્રી ગુજુભાઇએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

ઓરિસાનો ગુમ યુવાન ૮ વર્ષ ઘરે પહોંચ્યો પરિવારમાં ખુશી છવાઇ

ઓરિસા રાજ્યનાં ઢેકનાલ જિલ્લાનાં સુરપ્રતાપુર ગામનો યુવાન વિષ્ણુ મહેતી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. દેશનાં જુદા-જુદા રાજ્યોમાંથી થઇ તે રેલ્વે મારફતે ભુજ આવી ચડ્યો હતો.  વાલજીભાઇ કોલીને ભુજ-ખાવડા રોડ ઉપરથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચાડ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ […]

ઓરિસ્સાનો યુવાન ૧૫ વર્ષે ઘરે પહોંચ્યો ભુજમાં બંને ભાઇઓનું થયું મિલન પરિવાર અને ગામમાં ખુશી છવાઇ ગઇ

<p>ઓરિસ્સા રાજ્યનાં પુરી જિલ્લાનો ૩૦ વર્ષિય યુવાન ગોળબાબુ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતનાં જુદા-જુદા રાજ્યો અને શહેરોમાં થઇ તે માંડવી-કચ્છ સુધી પહોંચ્યો હતો.</p> <p>જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને ત્રણ મહિના પહેલા માંડવી શહેરનાં બંદર રોડ ઉપરથી યુવાન ગોળબાબુ ઉ.વ. ૪૫ મળી આવતાં તેને સંસ્થાનાં વાહન […]

માતા-પુત્રનું ૨૫ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં ઉમરીયા જીલ્લાનાં હર્ષચોરા ગામની ૨૭ વર્ષિય યુવાન મહિલા બુલીદેવી, તેનાં પતિનાં અવસાનથી ભારે દુઃખી થઇ હતી અને માનસિક સમતુલા ગુમાવતાં તે ગુમ થઇ હતી. પચ્ચીસ વર્ષમાં તે અનેક રાજ્યોમાંથી પસાર થઇ હતી અને સતત દુઃખ વેઠયું હતું. તેનાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. દશ દિવસ પહેલાં તે ટ્રેન મારફતે ભુજ સુધી આવી […]

આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ભુજની “માનવજ્યોત” સંસ્થાને સ્થાન મળ્યું અમેરિકાનાં બે મોટા શહેરોમાં “વૈષ્ણવજન” ફિલ્મ દર્શાવાશે…

  આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ગાંધીજીનાં આદર્શોને દર્શાવતી શોર્ટ ફિલ્મ “વૈષ્ણવજન’’ ની પસંદગી થયેલ છે. શોર્ટ ફિલ્મ “વૈષ્ણવજન” માં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ચાલતી “માનવજ્યોત,, સંસ્થા ભુજની વિવિધ સેવાઓને આવરી લેવામાં આવી છે. આ ફિલ્મનાં દિગદર્શક મુળ ભુજનાં હાલે અમદાવાદ રહેતા શ્રી સમ્યક વૈદ્યે કરેલું છે. અભિનય તેમની સુપુત્રી બાળ કલાકાર સ્વરા વૈદ્ય કરેલું છે. […]

જન્મદિન પ્રસંગે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

<p>લખપત તાલુકાનાં જાડવા ગામે રબારી બીજલ (લખમીર) ભાઇએ પોતાનાં પુત્ર વિશાલનાં જન્મદિન પ્રસંગે પોતાનાં ગામ જાડવા તથા આજુબાજુનાં ૧૦ ગામોનાં મંદિરો – શાળાઓમાં પક્ષીઓનાં પાણી પીવાનાં કુંડા તથા ચકલીઘર લગાડી જીવદયાનું કાર્ય કર્યું હતું.</p> <p>માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ બિજલ ભાઇએ ૨૦૦ કુંડા અને ૫૦ ચકલીઘરોનું વિતરણ કરી એક અનોખો – પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું […]