Author Archives: Admin Manavjyot

શ્રમજીવી પરિવારોનાં ઝુંપડે ૫૦૦ કિલો કેરી વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છ દ્વારા નારાણપરનાં એક સદ્‌ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી ૫૦૦ કિલો કેરી શ્રમજીવી પરિવારોનાં ભૂંગા-ઝુંપડાઓમાં જઇ દરેક પરિવારોને કેરીઓનું વિતરણ કરવામાં આવતાં શ્રમજીવી પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.

૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ઝુંપડે ઠંડા પાણીનાં માટલા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ભૂંગા ઝુંપડા સુધી જઇ ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા. શ્રમજીવી પરિવારોને કાળઝાળ ગર્મીમાં પીવાનું ઠડું પાણી મળી રહે તેવા ઉદ્‌ેશ સાથે ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ઝુંપડે ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા […]

સંસ્કાર નગર મધ્યે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી બાપા સીતારામ મઢુલી સંસ્કાર નગર મધ્યેના પ્રાંગણમાં બિલીપત્ર, ફુલ વિ. છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શ્રી અર્જુનસિંહજી જાડેજાએ શોભાવ્યું હતું. શ્રી અરવિંદભાઇ ગઢવીએ સૌનું સ્વાગત કર્યું હતું. શ્રી અર્જુનસિંહ જાડેજા, અરૂણભાઇ જાષી, દેવદત ગઢવી, કુમારસિંહ પઢિયાર, શંભુભાઇ જાષીના શુભ હસ્તે બિલીપત્ર અને ફુલના વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્ય થયું હતું. […]

ગાંધીનગર મધ્યે રાજ્ય લેવલનાં બે દિવસીય વર્કશોપમાં ૧૧૬ પેરાલીગલ વોલીન્ટીયરોને ચાઇલ્ડ પ્રોટેકશન સીસ્ટમની ટ્રેનીંગ અપાઇ

<p>યુનિસેફ, કર્ણાવતી યુનિવર્સીટી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્યનાં ૩૩ જિલ્લાઓના ૧૧૬ પેરાલીગલ વોલીન્ટરોને ચાઇલ્ડ પ્રોટેકશન સીસ્ટમની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યુનાઇટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લો કર્ણાવતી યુનિવર્સીટી ગાંધીનગર યોજાયો હતો.</p> <p>કાર્યક્રમનું અતિથિવિશેષ પદ રાજ્ય લીગલ સર્વિસ ઓથોરીટેનાં શ્રી આર.કે. મોઢ, કર્ણાવતી યુનિવર્સીટીનાં પ્રોવોસ્ટ ડો. દિપક શિશુ, યુનિસેફ ગુજરાતનાં ચિફ ઓફિસર ડો. લક્ષ્મી […]

ત્રણે ભાઇઓનું ૭ વર્ષે થયું મિલન પરિવારમાં ખુશી છવાઇ

બિહારનાં પટણા જિલ્લાનાં પકોરા ગામનો ૩૧ વર્ષિય યુવાન મુના મિસ્ત્રી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો ખુબ જ નિરાશ થયા હતા. દેશનાં અન્ય રાજ્યોમાંથી થઇ તે નારાયણસરોવર સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવર તેને નારાયણસરોવરથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ […]

નખત્રાણા સાંઇ જલારામ મંદિરે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓ વિતરણ કરાઇ

નખત્રાણા દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા માનવજ્યોત સંસ્થા-ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સહયોગથી કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજનાં પ્રમુખ ગીરીશભાઇ ગોસ્વામી, નખત્રાણાના આગેવાન રાજેશભાઇ પલણ,  ગોસ્વામી યુવક મંડળનાં પ્રમુખ મુકેશપુરી ગોસ્વામી, તાલુકા મહિલા મંડળનાં પ્રમુખ સીમાબેન ગોસ્વામી, જે.આર. ગોસ્વામી, જાગૃતિબેન ગોસ્વામીનાં અતિથિવિશેષ પદે યોજાયો હતો. રમીલાબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. […]

૮ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આઠ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ભુજની જનરલ હોસ્પીટલમાં દાખલ અજાણ્યા પુરૂષ આઠ જેને મુન્દ્રા, પદ્ધર, ભચાઉ, સામખીયારી, ગાંધીધામ, અંજાર તથા ભુજથી સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમ્યાન તેમનું અવસાન થતાં તેમનું આગળ-પાછળ કોઇ સગું-સાવકું નહોતાં લાસ ઓળખ વિધિ માટે રાખ્યા બાદ, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ દાખલા સાથે માનવજ્યોત […]

નારાણપરમાં કુંડા ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયાનાં સહયોગથી નારાણપર (રાવરી) રાધા-ક્રિષ્ન મંદિર ચોક મધ્યે કુંડા અને ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ જીવદયા પ્રેમીઓની વિશાળ ઉપસ્થિત માં કરવામાં આવેલ. દાતાશ્રી ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, કરશનભાઇ ભુડિયા, મનજીભાઇ સેંઘાણી, સવિતાબેન ભુડિયા, રાધિકાબેન ગોસ્વામી, અનિતાબેન દરજી, વનીતાબેન ભુડિયા, રંજનબેન માણેક, કાનાભાઇ સેંઘાણી તથા મહેન્દ્ર […]

રાજકોટની ગુમ મહિલા ભુજમાંથી મળી ૧૫ દિવસ પછી પરિવારજનો સાથે થયું મિલન

રાજકોટ શહેરનાં મોરબી જકાત નાકા વિસ્તાર, સેટેલાઇટ ચોક વિસ્તારની એક ૪૮ વર્ષિય સ્વસ્થ અને ખાનદાન પરિવારની મહિલા ગુમ થતાં પરિવારજનોએ રાજકોટ-ગોંડલ વિસ્તારમાં તેની સતત શોધ ચલાવી હતી. દશ દિવસ સુધી તે  સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ રાજકોટથી બસ મારફતે તે અચાનક ભુજ આવી ચડી હતી. કોઇકે તેને બસમાં ટીકીટ કઢાવી આપેલ. ભુજમાં ઉતરી રીક્ષા […]

આખાત્રીજે વધી પડેલી રસોઇમાંથી પાંચ હજાર ગરીબો ભરપેટ જમ્યા

અક્ષય તૃતિયા (આખાત્રીજ) નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં વિવિધ સમાજવાડીઓમાં લગ્નો પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા. ૧૯ સમાજવાડીઓમાંથી ભોજન સમારંભોની રસોઇ વધી પડ્યા હોવાનાં ફોન માનવજ્યોત સંસ્થાને મળતાં જ સંસ્થાએ આ વધી પડેલી રસોઇ વિવિધ સમાજવાડીઓમાંથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા પાંચ હજાર ગરીબો ભરપેટ જમ્યા હતા. અને તેમનાં પેટનો ખાડો પૂરાયો હતો. વિતરણ વ્યવસ્થા […]