દરેક સમાજો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અને દરેક સમાજો-સંસ્થાઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડનારા શશીકાન્તભાઈ મોહનલાલ ઠક્કરનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઈ હતી. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, અરવિંદભાઈ ઠક્કર, મુરજીભાઈ ઠક્કરે તેઓની સેવાઓને બિરદાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Author Archives: Admin Manavjyot
શ્રીમતિ રંજનબેન વર્ધીલાલ પારેખ પરિવાર સંચાલિત માનવસેવા કેન્દ્ર વર્ધમાનનગર-કચ્છના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા-સબંધીઓને લીબું-વરિયારી પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સતત ત્રણ દિવસ સુધી આ સેવા ચાલુ રાખવામાં આવી હતી. સેવાકાર્ય વાહનને વર્ધમાનગર ઓનર્સ એસોસિયેશનનાં પ્રમુખશ્રી રાહુલ મહેતા, ઉપપ્રમુખ વર્ધીલાલટી. પારેખ, હસમુખ વોરાએ સ્ટાર્ટ આપ્યો હતો. વ્યવસ્થામાં દિપ્તી વોરા, ભાવિકા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની માનવસેવા, જીવદયા, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા માધાપરનાં હાલે લંડન વસતા માધાપરના દાતાશ્રી હીરૂબેન ગોરસીયા દ્વારા સંસ્થાને રૂા. ૨ લાખનો ચેક અર્પણ કરાયો હતો. કોરોનાં સંકટમાં સંસ્થા લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકોને મદદરૂપ બની રહી છે. જે કાર્યની દાતાશ્રી પરિવારે અનુમોદના કરી હતી. સુરેશભાઈ એમ. સોલંકીના વરદ હસ્તે આ […]
મહારાણીશ્રી પ્રિતિદેવજીનાં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા. જન્મદિન પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. તેમજ એકલા-અટુલા નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ઘેર બેઠા ભોજન કરાવાયું હતું. પરિવારજનો દ્વારા માનવજ્યોતને ૧૦ હજારનું અનુદાન અપાયું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષીએ […]
ભુજ શહેરમાં ત્રિદિવસીય સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે માનવજ્યોત સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી હતી. ભુજની જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા સબંધીઓને છાસ અને પાણી વિતરણ કરાયું હતું. એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં શ્રમજીવકોને નમક-જીરાવારી ૩૦૦ લીટર છાસનું વિતરણ કરાયું હતું. ૧૦૦થી વધુ વૃદ્ધ વડીલોને તેમનાં ઘર સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાયું હતું. શ્રી […]
શ્રી જલારામ ચેરી-ટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા તથા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઈ નથી. બીજા ઉપર પરાધીન છે…બિમાર છે.. પથારી ઉપર છે… ચાલી શકતા નથી. ઘરથી બહાર નીકળી શકતા નથી એવા ૧૦૦ વૃદ્ધોનાં ઘેર જઈ ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડાય છે. […]
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને પીવા છાસ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧ મહિનાથી શરૂ થયેલ આ છાસ કેન્દ્ર દ્વારા દરરોજ જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી જઈ હરતા-ફરતા છાસ કેન્દ્ર દ્વારા જરૂરતમંદ શ્રમજીવીક પરિવારોની આંતરડી ઠારવાનું કાર્ય થઈ રહ્યું […]
સ્વ. મહેશભાઈ પુરૂષોત્તમ સોલંકી માધાપરનાં બારમા નિમિતે તેમનાં આત્મશ્રેયાર્થે પરિવારજનોના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, શ્રમજીવીકોને ભોજન, ૧૦ વિધવા મહિલાઓને રાશન કીટ, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, કીડીયારો, કૂંડા, ચકલીઘર વિતરણ જેવા માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરાયા હતા. પરિવારજનો દ્વારા […]
પૂર્વ સિવિલ સર્જન અને જાણીતા ડો. સૂર્યકાન્ત ભેદાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઈ હતી. સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષીએ તેમની સેવાઓને બિરદાવી અંજલિ અપાઇ હતી.
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]






