માનવજ્યોતને પ૧ હજારનું અનુદાન અપાયું

શ્રી અંજાર ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા પ.પૂ. જયાનંદમુનિ મ.સા. ની પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજને જીવદયાકાર્યો માટે રૂા. ૫૧ હજારનું અનુદાન અપાયું હતું. જયેન્દ્રભાઈ પારેખ, હિતેશભાઈ એમ. શાહ તથા સર્વે ટ્રસ્ટી ગણે માનવજ્યોતની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો