૬૨ બાળાઓને નવા ડ્રેસ અર્પણ કરાયા

પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ, નવરાત્રી પ્રારંભે અને નજીક આવી રહેલ દિવાળી પર્વ પૂર્વે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૬૨ બાળાઓને દાતાશ્રી રેખાબેન ગોરધનભાઈ હીરજી પટેલ પરિવાર માધાપર દ્વારા દરેક બાળાઓને આપવા આ નવા ડ્રેસ સંસ્થાનાં સંચાલકોને અર્પણ કરાયા હતા. બાળાઓએ ખુશી વ્યક્ત કરી હતી. 

આ પ્રસંગે દાતા પરિવારનાં ગોરધનભાઈ પટેલ, રેખાબેન પટેલ, માનવજ્યોતના પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર વતી ઇલાબેન અંજારીયા, ભક્તિબેન ભટ્ટ તથા કોકીલાબેને આભાર વ્યક્ત કર્યો હતો.