માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી મયુરભાઇનાં જન્મદિન નિમિત્તે દાતા શ્રી હરસુખભાઇ ગોવિંદજી ઠક્કર તરફથી ૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ હતી. જેથી તેઓ માર્ગ ઉપર હરતા ફરતા થયા હતા. આ પ્રસંગે માનવજ્યોત કાર્યાલયે દાતાશ્રી પરિવારનાં મયુરભાઇ ઠક્કર, નીતાબેન ઠક્કર, ગીતાબેન ઠક્કર, લતાબેન ઠક્કરે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં સુરેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ […]
Monthly Archives: September 2022
શાસ્ત્રોમાં અમાસનાં શ્રાદ્ધનું અતિ મહત્વ રહેલું છે. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે ૨૭ પરિવારો માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. જ્યાં નારાયણ સરોવરનાં શ્રી દિપક મારાજે છેલ્લા શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ ઉપસ્થિત સર્વે પરિવારોનાં વરદ્ હસ્તે કરાવી હતી. પૂજા-અર્ચના-આરતી પણ યોજાયા હતા. ત્યાર બાદ આ દરેક પરિવારોએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન […]
માનવજયોત સંસ્થા ભુજને બે યુવાનો મળ્યા હતા. માનસિક દિવ્યાંગ યુવાનોની સારવાર કરાવી, તેમનું ઘર શોધી આપવામાં સંસ્થાને સફળતા મળી હતી. અનીલ ઉંમર વર્ષ-૩૨ રહેવાસી ચંદ્રપુર મહારાષ્ટ્ર રખડતો-ભટકતો શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર-કચ્છ મધ્યે પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થા એ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી તેની સારવાર શરૂ કરાવી હતી. તે સ્વસ્થ બનતાં માનવજ્યોતની ટીમે […]
મા જગદંબેની નવલી નવરાત્રીનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો પણ રાસ-ગરબામાં જોડાઇ નવરાત્રી મહોત્સવ મનાવી રહ્યા છે. આશ્રમ સ્થળે દરરોજ સાંજે ૫ થી ૭ ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોનાં વિવિધ મહિલા મંડળો અહીં પધારી આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ ગરબા રમાડે છે. બહેનો પોતાની સાથે આ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને […]
ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ જીલ્લાનાં સંબલ તાલુકાનાં પવાંસા ગામનો અશોક ઉ.વ. ૪૦ છેલ્લા બે વર્ષથી ગુમ હતો. અનેક રાજ્યોમાં તે રખડતો ભટકતો રહ્યો હતો. પગમાં શ્વાને બટકું ભરતા તે પગે ચાલી સુખપરનાં કોઇક ડોકટરશ્રી પાસેથી દવા ગોળીઓ લીધી હતી. આંખોમાં આંસુ, શરીરમાં પીડા સાથે તે સુખપર રેલ્વે ફાટક પાસે પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા હિતેશ […]
માધાપર નવાવાસ ઉપસરપંચ શ્રી અરજણભાઇ દેવજી ભુડીયાએ પોતાનાં જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો વચ્ચે જન્મદિન ઉજવ્યો હતો. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનાં ભાવતાં ભોજનીયા તેઓશ્રી દ્વારા જમાડવામાં આવેલ અને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. આશ્રમના માનસિક દિવ્યાંગે તેઓને મીઠું મોઢું કરાવેલ. માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ […]
ઉત્તરપ્રદેશનાં ગોંડા જીલ્લાનાં અયોધ્યાનો ૨૮ વર્ષિય યુવાન રાજકુમાર ગુમ થયો હતો. જેને શોધવા પરિવારજનોએ રાત દિવસ મહેનત કરી હતી. છ વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયા હતા. પત્ની પતિ ઘરે આવવાની ર જોઇ બેઠી હતી. લાંબા સમયની મુશ્કેલીઓનો અંત આવ્યો. અનેક રાજયોમાંથી થઇ તે અચાનક રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. અને મીરઝાપર પાસેથી સીનીયર પેરાલીગલ […]
શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની તેરમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરે ભાવાંજલિ […]
શાસ્ત્રોમાં શ્રાદ્ધનું પણ અતિ મહત્વ રહેલું છે. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ નાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે આશ્રમ સ્થળે શ્રદ્ધાળુ ભક્તોની ઉપસ્થિતિમાં શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવેલ. નારાયણસરોવરનાં પ્રખ્યાત મારાજ તથા શેડાતા મહાદેવ મંદિરનાં પુજારી શ્રી દિપક મારાજે મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધની […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. કૈંક […]
- 1
- 2