૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ ભુકંપમાં મૃત્યુ પામનારાઓનાં આત્મશ્રેયાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શાંતિપાઠનું આયોજન કરવામાં આવેલ. સદ્દગતોની આત્માની શાંતિ માટે સૂરજપરનાં શ્રી દીપકભાઇ મારાજે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ગીતાગ્રંથનાં ૧૫મા અધ્યાયનું શ્રવણ કરાવેલ. ઉપસ્થિત સંસ્થાના સર્વે કાર્યકર-ભાઇ-બહેનોએ બેમિનિટ મૌન પાળી સદ્દગતોને અંજલિ અર્પણ કરેલ. શ્રી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, […]
Monthly Archives: January 2022
ભુજોડી સરપંચ લક્ષ્મીબેન ગાભુભાઇ વણકરે પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન સ્વહસ્તે જમાડી જન્મદિન ઉજવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કચ્છમાં વધતા જતા કોરોના કેસોની સામે જાગૃત બનાવાની અપીલ સાથે કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદ શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં શિવરામંડપ, ભીડગેટ, જયુબિલી ગ્રાઉન્ડ તથા અન્ય વિસ્તારોમાં અનેક ઔષધીથી ભરપૂર તૈયાર ગરમઉકાળો વિતરણ કરવામાં આવેલ. જેનો ૩ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. કોરોના […]
કચ્છ જીલ્લા પંચાયત, આયુર્વેદ શાખા દ્વારા કોરોના-ઓમિક્રોન સામે રોગ પ્રતિસાદ શક્તિ વધારવા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં અનેક ઔષધિથી ભરપૂર તૈયાર ઉકાળો પીવડાવવામાં આવી રહેલ છે. સંસ્કારનગર એસ.ટી.વર્કશોપ સામે ઇન્નરવ્હીલ કલબ ઓફ ફલેમિંગો ભુજનાં સહકારથી સંસ્કારનગર વિસ્તારમાં લોકોને ગરમ તૈયાર ઉકાળો પીવડાવવામાં આવેલ. આ પ્રસંગે ડો. અશોકભાઇ ત્રિવેદી તથા કલબનાં પ્રમુખ રચનાબેન સોની […]
ભુજ શહેરનાં બે આગેવાનો શ્રી પ્રભુદાસભાઇ ખેતશી સોની તથા ચંદ્રકાન્તભાઇ વિશનજી ગોરને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટીએ તેઓશ્રીની સેવાઓને બિરદાવી અંજલિ આપી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની માનવસેવા, જીવદયાનાં કાર્યો સાથે ઉજવણી કરવામાં આવેલ. વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથે ભોજન કરાવવામાં આવેલ. ૧૧૪ વૃદ્ધોને ઘેરબેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવેલ. શ્રમજીવીકો,બાળશ્રમયોગીઓ, રંક બાળકો તેમજ ભૂંગા-ઝુંપડામાં રહેતા જરૂરતમંદોને ભોજન જમાડવામાં આવેલ. ગાયમાતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ આપી […]
કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ કોરોનાની ત્રીજી લહેર સામે ભુજમાં માનવજ્યોત સંસ્થાનાં સહકારથી હરતા-ફરતા વાહન દ્વારા ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ૨૫૦૦ લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમ ઉકાળો પીવડાવામાં આવેલ. જયુબિલી ગ્રાઉન્ડ, ટાઉન હોલ, હમીરસર કાંઠો, નવું-જુનું એસ.ટી.બસ સ્ટેશન વિસ્તાર, કલેકટર ઓફિસ વિસ્તાર, જનરલ હોસ્પીટલ, આર.ટી.ઓ. વિસ્તાર, મંગલમ […]
કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદિક શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી નવનિર્માણ સોસાયટી, સરદારનગર, હંગામી આવાસ ભુજ મધ્યે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આયુર્વેદ ડો. પિયુષભાઇ ત્રિવેદી તથા હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી દર્દીઓનાં દર્દનું નિદાન કર્યું હતું. આ કેમ્પનો ૧૨૫ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ સ્થળે દર્દીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ. […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી સ્વસ્થ બનેલા ૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં-૧ મળી ૮ માનસિક દિવ્યાંગોએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું. તેઓને શુભેચ્છા પાઠવવા યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જયુડિશીયલ […]
મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. જરૂરતમંદોને કપડા તથા ધાબડા વિતરણ કરાશે. […]
- 1
- 2