રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ સ્વામિનગર ભુજ આયોજિત કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીના વરદ્ હસ્તે ચકલીઘર, કુંડા, માસ્ક, શમશનીવટી આયુર્વેદીક ગોળીઓ તથા કપૂર-લવીંગ, અજમા મિશ્ર પડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. શ્રી કલ્પનાબેન ચોથાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કલ્પનાબેન, નિશાબેન, શારદાબેન, ઉર્વશીબેન, વંદનાબેન, વિજયાબેન, જયશ્રીબેન, કુંતલબેન, રશ્મિબેન, માધવીબેન, યામીનીબેન, કોમલબેન, રેણુકાબેન, આશાબેન […]
Monthly Archives: June 2021
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ, માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી, મિલે સૂર હમારા વુમન્સ કરાઓકે સિંગિગ સ્ટાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છનાં ૩૦ માનસિક દિવ્યાંગોને કોરોનાં સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભુજ અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માધાપરની ટીમે […]
પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર-પ્રસાર અભિયાન દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મુકેશ શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી જયકરણ ડબ્બાસ, ગુજરાત પ્રદેશ પ્રભારી સાધ્વી નિર્મલાજીનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સચિવ શ્રીમતિ આશિકાબેન ભટ્ટે સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજ અને કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા તથા ગીતાબેન દલાલનાં સહયોગથી નારાણપર ગામે ૩૦૦ અને મીરઝાપર ગામે ૨૦૦ મળી માટીનાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. નાનબાઇ રામજી ભુડિયા, શામબાઇ પ્રેમજી વાઘજીયાણી, માનબાઇ નારાણ પિંડોરીયાનાં વરદ્ હસ્તે ચકલીઘર વિતરણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ચકલીઓને રહેવા ઘર મળે તો ચકલી કચ્છમાં […]
ભુજનાં કામનાથ મહાદેવ મંદિરે માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઇ સચદે, કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી કિરીટભાઇ સોમપુરા, વિશ્વ હિન્દુ પરિષદનાં બલવંતસિંહ વાઘેલા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરની ઉપસ્થિતિમાં વૃક્ષોનાં રોપા, તુલસીરોપા, ચકલીઘર, કુંડા તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. ઉપસ્થિત આગેવાનોએ […]
કોટી વૃક્ષ અભિયાન બીદડા, માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ લંડન નાં સહયોગથી ભુજ – મીરઝાપર – નારાણપરમાં ૫૦૦ માટીનાં ચકલીઘર વિતરણ કરાયા હતા. પર્યાવરણને બચાવવા લોકજાગૃતિરૂપે વૃક્ષોનાં તૈયાર રોપા, તુલસીરોપા, કુંડા, ચકલીઘર, ચણથાળી, શ્વાનો માટે અને ગૌમાતાઓ માટે પાણી […]
મીરઝાપર મધ્યે આવેલું શ્રી કપીરાજ હનુમાન મંદિર સાચા અર્થમાં માનવસેવાનું કેન્દ્ર બની ચૂકયું છે. આ મંદિરનાં પ્રાંગણમાં શ્રી રાઘવ મંદિર પણ આવેલું છે. ભાવિકો શીશ ઝુકાવવા અહીં સુધી પહોંચતા હોય છે. મંદિર પ્રાંગણમાં પક્ષી માટે ચબૂતરો તથા બાળકો માટે રમત ગતમના સાધનો પણ ઉપલબ્ધ છે. વૃક્ષારોપણ, ઝાડ-પાન અને હરિયાળીથી મંદિર સ્થળ આકર્ષક લાગે છે. હનુમાનજીની […]
માનવજ્યોત સંસ્થા ભુજ કલ્પતરૂ વિજયનગર શાખા થી છેલ્લા ૪ વર્ષ માં ૧૯૮ દર્દીઓએ કોન્સન્ટ્રેટર મશીનોનો લાભ લીધો હતો. અને ઘેર બેઠા ઓક્સિજન સેવા મેળવી હતી. યુ.કે. સ્થિત માધાપરનાં દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇએ માનવજ્યોત સંસ્થાને પોતાનાં પરિવારનાં જુદ-જુદા નામોથી દર વર્ષે બે અને ચાર વર્ષમાં ઓક્સિજનનાં ૮ મશીનો અર્પણ કર્યા હતા. જેનો જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો […]
માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્રે કામકરતી ભુજની માનવજ્યોત સંસ્થાને અમેરિકા સ્થિત કચ્છી દાતા અને સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટનાં મનુભાઇ રવિલાલ શાહ અને રીકાબેન શાહ તરફથી ૩ અને ભાર્ગવભાઇ ગઢાઇ પરિવાર ભુજ દ્વારા-૧ મળી ૪ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો સર્વ મંગલ આરોગ્ય ધામ – ભુજ મધ્યે શ્રી મધુભાઇ સંઘવી અને શ્રી ડો. આલાપ અંતાણીનાં વરદ્ હસ્તે […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત ભુજ – કચ્છનાં પેરાલીગલ વોલેન્ટીયર તરીકે વર્ષ- ૨૦૨૦ – ૨૦૨૧ દરમ્યાન કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પ્રબોધ એચ. મુનવરને કચ્છ જિલ્લાનાં મુખ્ય ન્યાયાધિશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલ સાહેબનાં વરદ્ હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ. તેઓશ્રીએ શ્રી મુનવરની દરેક કામગીરીને બિરદાવી હતી. આ […]
- 1
- 2










