અબડાસા તાલુકાનાં કોઠારા ગામનાં હાઇવે માર્ગ ઉપર છેલ્લા દોઢ વર્ષથી રખડતો ભટકતો જાવા મળતો ઉત્તરપ્રદેશનાં બનારસનો ૬૦ વર્ષિય વિજય ચુનીલાલલ યાદવ આખરે ૨૫ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઇ છે. જ્લિાલ કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ દોઢ મહિનાં પહેલાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને કોઠારા […]
Monthly Archives: December 2019
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ અને વિસ્તારમાં પ્લાસ્ટીક થેલી અને ઝબલા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવાઇ હતી. જુની-નવી શાકમાર્કેટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેઇન બજારમાં જતા આવતા લોકોનાં હાથમાંથી પ્લાસ્ટીકનાં થેલી-ઝબલા લઇ કાપડની થેલીઓ અપાઇ હતી. વધતા જતા પ્રદુષણ અને પ્લાસ્ટીકનાં કચરાથી મુક્ત થવા અને ગૌમાતા તથા અન્ય પશુધનને બચાવવા પ્લાસ્ટીકનો ઉપયોગ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ અને ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ૪૦૦ પરિવારોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું છે. દાતાશ્રી વીપીનભાઇ મોહનલાલ મહેતા વર્ધમાનનગર, રમાબેન શિરીષભાઇ મહેતા અમેરિકા, રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર, દોશી કોટેજ ભુજ, દેવજીભાઇ ખીમજી ભુડિયા, એડવોકેટ ભુમિત ગોસ્વામી, વિશ્રામભાઇ […]
ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગની ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને રોજગાર અપાવવા તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને રાજ્યકક્ષાનો “દિવ્યાંગ પારિતોષિક,અર્પણ કરાયો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા એસ.પી. શ્રી સૌરવ તૌલંબીયાનાં વરદ્ હસ્તે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ભુજ શહેર નગર […]
કચ્છ પધારેલા પ્રખર રામાયણી સંત શ્રી પ.પૂ. મોરારીબાપુએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પાવન પગલા પાડી માનસિક દિવ્યાંગોનાં ખબર-અંતર પૂછી રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂજ્ય શ્રીએ જણાવ્યું હતું કે, આશ્રમનાં પ્રારંભે આવી શકયો નથી. પણ આજે આવીને રાજી થયો છું. આપ બધા આટલી સુંદર પ્રવૃત્તિ કરો છો જેની મને ખુશી છે. […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી માત્ર અઢી વર્ષનાં ગાળામાં એકલા-અટુલા નિરાધાર અને કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા- પાથર્યા રહેતા ૨૭૫ માનસિક દિવ્યાંગોને સારવાર આપી, તેમનું ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેર મિલન કરાવવામાં આવતાં પરિવારજનોએ અનેક ઘણી ખુશી વ્યક્ત કરી હતી. આસામ-નાગાલેન્ડ,તામિલનાડુ,આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતનાં દરેક રાજ્યોમાં માનવજ્યોત […]
માનવજ્યોત સંસ્તા ભુજ દ્વારા ૭ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ગાંધીધામનો અજાણ્યો ભીક્ષુક ઉ.વ. ૭૦, ભુજ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૮૦, ભુજ જુના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ અજાણ્યો ૩૯ વર્ષિય યુવાન, ટ્રાવેલ્સ બસમાંથી મળેલ ૨૨ વર્ષિય યુવાન, જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૦ અને ઉ.વ. ૬૦ મળી ૭ બિનવારસ લાસો ઓળખવિધિ માટે […]