Monthly Archives: February 2019

જબલપુરની ગુમમુસ્લિમયુવતી ભુજમાંથી મળી દિવ્યાંગ માતાએ ભુજ આવી દીકરીનો કબ્જા લીધો

જબલપુરની ૩૦ વર્ષિય મુસ્લિમ યુવતી ફિરદોઝ અચાનક ભુજ આવી ચડી હતી. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે રાખી, ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવાતં તે માત્ર ૪ દિવસમાં જ સ્વસ્થ બની હતી. સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ તેનું ઘર […]

વરૂણદાસ ૧૧ વર્ષે ઘરે પહોંચ્યો હાવડા સ્ટેશને પોલીસે કબ્જા લીધો

માંડવી શહેરને પોતાનું આશ્રય સ્થાન બનાવનાર વરૂણદાસ ૧૧ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. માંડવી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી પોતાનાં પેટનો ખાડો પૂરતો માનસિક દિવ્યાંગ પગથી પણ દિવ્યાંગ હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે  તેને માંડવીથી ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે રાખી ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો […]

માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો તથા પગરખા અપાયા

દાતાશ્રી અનીલભાઇ તથા રસીલાબેન ખીમાણી દહીંસરાવાલા તરફથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાંગોને નવા કપડા તથા નવા પગરખા અર્પણ કરાયા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, મંત્રી સુરેશભાઇ માહેશ્વરી તથા ગુલામભાઇ મોતા, રિતુબેન વર્માએ દાતાશ્રીનો આભાર માન્યો હતો.

કચ્છમાં કચ્છ એકમ દ્વારા સમૂહલગ્નોત્સવ

શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન કચ્છ એકમ, સમૂહલગ્ન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિનો આગામી સમુહલગ્ન   તા. ૨૬-૫-૧૯  રવિવારના કચ્છમાં યોજાશે. ફોર્મ કચ્છ એકમ કાર્યાલય તથા કચ્છ એકમના સભ્યો પાસેથી મળી શકશે. ફોર્મ ભરી  તા. ૩૧-૩-૨૦૧૯ સુધી મોકલવાના રહેશે. સમૂહ લગ્નમાં જાડાવા ઇચ્છુક પાર્ટીઓએ કચ્છ એકમ કાર્યાલય ગાંધીધામ મહેશ લાલકા મો. ૯૮૨૫૨૮૭૫૫૫ અથવા લહેરચંદ ખોના મો. ૯૮૨૫૧૩૮૧૦૩ નો […]

ઉત્તરપ્રદેશનો ગુમ યુવાન ભુજમાંથી મળ્યો પતિ-પત્નીનું છ મહિને થયું મિલન

ઉત્તર પ્રદેશનાં બલીયા જિલ્લાનો વતની બિકોમ ભણેલો રવિકુમાર શુકલ ઉ.વ. ૪૮ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક ખર્ચ કર્યા પછી પણ તેનો કયાં પણ પતો લાગ્યો નહીં. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા દયારામ મહારાજને તે ગાંધીધામ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ […]

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ પ્રસંગે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતિ પ્રસંગે મહારાષ્ટ્ર ગણેશ મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. મંડળનાં સંતોષભાઇ મરાઠા, રાજુભાઇ મરાઠા, બાબુભાઇ મરાઠા, વિકાસભાઇ મરાઠા તથા મંડળનાં સર્વે સભ્યોએ સ્વહસ્તે મનોરોગીઓને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડ્યું હતું. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, ગુલામ મોતાએ સહકાર આપ્યો […]

રાજ્યપાલશ્રીનાં હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ,, અર્પણ કરાયો

ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને રાજભવન ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્‌ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ,, અર્પણ કરવામાં આવ્યો હતો. કચ્છ જીલ્લામાંથી શ્રી મુનવરની માનવસેવા-જીવદયા અને પર્યાવરણની પ્રવૃત્તિઓ તથા ગુમ થયેલા લોકોને શોધી આપી તેમના ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ, અન્નનો બગાડ અટકાવવાની કામગીરીને […]

માનવજ્યોત દ્વારા શહિદોને અંજલિ અપાઇ

પુલવામા શહીદ થયેલા દેશનાં વીર જવાનોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવેલ. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ વીર જવાનોને અંજલિ આપી હતી.

મારો લાડકવાયો પુત્ર મળી આવતા હૈયે ટાઢક વળી છે ગુમ થયેલ યુવાન ૯ મહિનાં પછી ઘરે પહોંચ્યો

ગુજરાતનાં અંકલેશ્વરનાં પીરામણ ગામનો યુવાન સ્ટીવન  ઉર્ફે ટીનો ઉ.વ. ૩૦, નવ મહિનાં પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે રખડતો-ભટકતો મોરબી સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટયર પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ મોરબીનાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટને તે એક પુલીયા નીચેથી સૂતેલી હાલતમાં મળ્યો હતો. ટ્રસ્ટે તેને આશ્રય આપી તેની સારવાર કરાવી હતી. […]

રાજ્યપાલશ્રીનાં વરદ્‌ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત” એવોર્ડ અર્પણ કરાશે

ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને તા. ૧૫-૨ સાંજે ૫-૩૦ કલાકે રાજભવન ગાંધીનગર મધ્યે રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્‌ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ-૨૦૧૮,, અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ માટે કચ્છ જિલ્લામાંથી તેમની માનવસેવા-જીવદયા, પર્યાવરણની પ્રવૃત્તિઓ અને ગુમ થયેલા લોકોને શોધી આપવાની સર્વ શ્રેષ્ઠ કામગીરીને લક્ષમાં રાખીને કરવામાં આવી […]