માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. […]
Monthly Archives: September 2018
શ્રી કચ્છી દસા ઓશવાળ જૈન સમાજ ની એક અદ્ભુત સંગીતકલા “પંખાવાજ” આજે પણ લોકપ્રિય રહી છે. વિસર્તી આ સંગિતકલા ને આજે પણ સમાજવાસીઓ એ જીવંત રાખી છે. કચ્છી દસા ઓશવાળ જૈન સમાજની વિવિધ ગામો – સહેરો ની પંખાવાજ મંડળી ઓ એ તેરા ગામે રાતભર રમઝટ જમાવી હતી. પ્રાચીન પંખાવાજ સત્વોની ગાયકી જોવા ગામો ગામના સમાજ […]
ભુજની જનરલ હોસ્પીટલમાં છેલ્લા ૮ દિવસ દરમ્યાન મૃત્યુ પામેલ અજાણી ૪ વ્યક્તિઓની બિનવારસ લાસો પોલીસ રિપોર્ટ અને મૃત્યુનાં પ્રમાણપત્ર સાથે માનવજ્યોતને સોંપવામાં આવી હતી. તા. ૨૬-૮ નાં માનવજ્યોત સંસ્થા ભુજને આર.ટી.ઓ. વિસ્તારમાંથી એક વૃદ્ધ વડીલ ઉ.વ. ૮૦ બિમાર હાલતમાં મળેલ. જેનું તા. ૨૮-૮- નાં ભુજની જનરલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ. ભુજ બી ડીવીઝન પોલીસ […]