વિશ્વ તમાકુ નિષેધ દિવસે લોકોને વ્યસન મુક્ત બનવા અપીલ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે લોકોને વ્યસન મુક્ત બનવા અપીલ કરાઇ હતી. લોકો તમાકુનું સેવન છોડે એ માટે તમાકુ સેવનથી થતા રોગો અને એનાં કારણે પરિવારોને થતી મુશ્કેલી અને બરબાદી અંગે લોકોને સમજપૂરી પાડવામાં આવી હતી.

કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ પ્રસંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લોકો તમાકુ વ્યસન મુક્ત બને તેવા પેપ્લેટોનું વિતરણ કરવામાં આવેલ. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ જુદા – જુદા વિસ્તારોમાં જઇ લોકોને તમાકુ વ્યસનમાંથી મુક્ત બનવા અપીલ કરી હતી.