જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીએ સેવાશ્રમનાં દરેક માનસિક દિવ્યાંગોનું નિદાન કર્યું હતું.
દરેક માનસિક દિવ્યાંગ ક્રોધ, ભય, હતાશા, ચિંતા, માનસિક તણાવમાંથી મુક્ત બને એ માટે સમજપૂરી પાડવામાં આવેલ. તેમજ આરોગ્ય દિવસે દરેકની આરોગ્ય તપાસણી કરવામાં આવેલ.
ઘર અને પરિવાર તથા ગામ અને રાજ્ય છોડી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોનાં માનસિક સમતુલા ગુમાવવાનાં કારણો પણ જાણવા મળ્યા હતા.
મિલ્કત માટેનાં ઝઘડા, પરિવારીક ઝઘડા, ભાગીદારી, શેર સટ્ટા, નુકશાની પ્રેમપ્રકરણ જેવા કારણો સામે આવ્યા હતા.
વિશ્વ માનસિક આરોગ્ય દિવસે માનસિક દિવ્યાંગોને કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, જાડેજા અને ઝાલા મહિલા મંડળ જુની રાવલવાડી-ભુજ, અરવિંદભાઈ ચંદુલાલ ધકાન, સ્વ. ભરતભાઈ મુરજી મેઘાણી-માધાપર, પ્રેમીલાબેન કુંવરજી હાલાઈ-માધાપર, શંકરભાઇ જેન્તીલાલ મકવાણા-બળદીયા, ગોપાલભાઈ નથુ રાઠોડ પરિવારોએ મિષ્ટાન ફરસાણ સાથેનું ભોજન પીરસ્યું હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.