મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ગાયોને ઘાસચારો તથા માછલીઓને લોટ આપી માનવસેવા અને જીવદયા કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વ ઉજવાશે. દાતાશ્રીઓએ માનવજ્યોત કાર્યાલય ભુજ ફોન ૨૨૪૦૦૦ અથવા મો. ૯૯૧૩૦૨૯૮૦૦નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.