કચ્છ જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ ભુજ શહેરમાં અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવાનું શરૂ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ સંભાળી હતી.
ભુજની કલેકટર કચેરી સામેનાં વિસ્તારમાંથી ત્રિ દિવસીય ઉકાળા વિતરણ કાર્યનો પ્રારંભ જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી, ડો. જીગ્નેશ ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. પ્રથમ દિવસે ૩૪૮૯ લોકોએ જયારે બીજા દિવસે ૩૬૧૭ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો. કોરોનાં સામે રક્ષણ મેળવવા, શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા આ અનેક ઔષધિઓમાંથી બનાવેલો તૈયાર ગરમઉકાળો ખૂબ જ ઉપયોગી હોવાનું ડો. કમલેશભાઈ જોષીએ જણાવ્યું હતું.
માનવજ્યોત સંસ્થાએ હરતા ફરતા વાહન અને માઈક સીસ્ટમ સાથે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જઈ લોકોને ઉકાળો પીવડાવ્યો હતો. ઉકાળો પીવા, માસ્ક પહેરવા, હાથ સાબુથી ધોવા લોકોને સમજ પૂરી પાડવામાં આવી હતી. વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, ઇરફાન લાખાએ સંભાળી હતી.