માનવજ્યોત દ્વારા અધિક માસની અનોખી ઉજવણી

અધિકમાસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના સાથે શાસ્ત્રોક્ત વિધિઓ કરવામાં આવેલ. દરેક વિધિઓ દિપકભાઈ જોશીએ કરાવેલ. કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, જશુબેન દેવશી ભુડીયા-માધાપર, અરવિંદભાઈ ચૌહાણ-કુકમા, દેવ્યાનિબેન સ. દવે-માધાપર, સહિયર મહિલા મંડળ-ભુજ, વિપુલભાઈ મકવાણા, ગોસ્વામી અંકિતગર ચીમનગર, શીવજીભાઈ જેઠાભાઇ વરસાણી-માનકુવા, અરૂણાબેન મહેશચંદ્ર પંડ્યા, સ્વ. સુંદરબેન વેલજી પિંડોરીયા-માધાપર,એડવોકેટ શ્રી સુમિતભાઈ પંડ્યા, સ્વ. વનીતાબેન પ્રવિણચંદ્ર સલાટ-માધાપર, શાંતાબેન ખીમજી નારાણ-લંડન, સુબોધચંદ્ર કાનજી ઠક્કર, સ્વ. રતનબેન લાલજી પાંચાણી, સ્વ. રતનજી હીરજી હીરાણી-માધાપર, સવિતાબેન જીતેન્દ્ર પાંચાણી-લંડન દ્વારા માનસિક દિવ્યાંગો, વૃદ્ધ વડીલો તથા રંક બાળકોને ભોજન કરાવવામાં આવેલ. 

પવિત્ર પુરૂષોત્તમમાસ, અધિક માસ નિમિત્તે અનેક પરિવારો માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ પહોંચી જઈ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી પુન્યની કમાઈ કરતા રહે છે. 

વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા,શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજાએ સંભાળી હતી.