ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેવાનાં મકાનોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા જરુરતમંદ અસરગ્રસ્ત લોકોને તૈયાર ભોજન પહોંચાડવામાં આવેલ. થેપલા-ચા-ખારીભાત સાથેનું ભોજન પીરસવામાં આવેલ.
માનવજ્યોતનું હરતું-ફરતું વાહન ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા લોકો સુધી પહોંચ્યું હતું. અને બપોરનું ભોજન પહોંચાડ્યું હતું.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, રફીક બાવા, રાજુ જોગી, આરતી જોષી, અક્ષય મોતા, સલીમ લોટા, રસીક જોગી, અમૃત ડાભી, હિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠીએ સંભાળી હતી.
વરસતા વરસાદ વચ્ચે માનવજ્યોત દ્વારા બે હજાર લોકોને ભરપેટ ભોજન કરાવાયું હતું.