ઓરિસ્સાની દર્દનાક રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અંજલિ અપાઇ

ઓરિસ્સા રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભાવાંજલિ અર્પણ કરાઇ હતી. દર્દનાક ટ્રેન અકસ્માત અંગે ઉંડો ખેદ વ્યક્ત કરવામાં આવેલ.

અકસ્માતમાં મૃત્યુ પામનારા પ્રવાસીઓને પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કરશન ભાનુશાલી, નીતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કરે અંજલિ અર્પણ કરી હતી.