મહેશ્વરી સમાજનાં મહેશ સંપ્રદાયનાં મહાનધર્મગુરૂ, સ્પષ્ટ વક્તા અને ધાર્મિક લેખક માતંગ વેરશીભાઈ રામજીને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.
અનેક ધાર્મિક પુસ્તકોની રચના કરી, ધાર્મિક ગ્રંથોનું સર્જન કરી, સમગ્ર સમાજને જ્ઞાન પુરું પાડયું હતું. અનેકવિધ ધાર્મિક કાર્યો તેઓશ્રીનાં વરદ હસ્તે થયા હતા.
માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજાએ તેઓશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી અંજલિ અર્પણ કરી હતી.