શંકર રાઠોડ, મીરખાન મુતવાને અંજલિ અપાઇ

ચ્છના જાણીતા ક્રિકેટર શ્રી શંકરભાઈ રાઠોડનું તથા બન્ની વિસ્તારનાં આગેવાન મીરખાનભાઈ મુતવાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેઓને અંજલિ અપાઈ હતી. શંકરભાઈ રાઠોડ વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રે અનોખું પ્રદાન આપ્યું હતું. કોઠારા મધ્યે ડાભી ટુર્નામેન્ટમાં પણ વર્ષો સુધી રમ્યા હતા. બન્ની વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે અનેરી જ્યોત જલાવનાર શ્રી મીરખાનભાઈ મુતવાની સેવાઓ અનેરી હતી. 

પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.