અબડાસાનાં આગેવાનની પુણ્યતિથિએ માનવસેવા અને જીવદયાના કાર્યો કરાયા

અબડાસાનાં અગ્રણી આગેવાન, ગરીબોનાં બેલી, સેવાનાં ભેખધારી સ્વ. જુવાનસિંહ હમીરજી જાડેજા નલીયાની છઠી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મોકાજી ડોસાજી જાડેજા સમસ્ત પરિવાર નલીયાનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારાના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. તેમજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ.

ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ નાખવામાં આવેલ. તેમજ કીડીઓનું કીડીયારો પૂરવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષીએ સંભાળી હતી.

પીડીફ ડાઉનલોડ