વડાપ્રધાનશ્રીનાં જન્મદિને બિહારનાં પરિવારને મળી અનોખી ભેટ

સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ ઉજવાઇ રહેલ હતો. ત્યારે બિહારનાં મામા-ભાણેજનું પાંચ વર્ષ પછી મિલન થતાં બિહારનાં એક પરિવારને અનોખી ભેટ મળી હતી.

બિહારનાં ભાગલપુર જીલ્લાનાં ભીમદાસટોલા ગામનો ૪૨ વર્ષિય યુવાન પાંચ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટકતો સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમમાં પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાયંકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને ભુજ લઇ આવેલ.

બિહાર પોલીસની મદદ લઇ તેનો પરિવાર શોધી કાઢવામાં આવેલ. પરિવારજનાં બધાજ સભ્યો મૃત્યુ પામેલ હોઇ મામાની જવાબદારી ભાણેજે સંભાળી રહ્યો હતો. સમાચાર મળતા જ ભાણેજ ટુનટુન કુમાર મામાને લેવા ભુજ આવી પહોંચ્યો હતો.

શ્રી મોદી સાહેબનાં જન્મદિવસે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનોનાં વરદ હસ્તે પાંચ-પાંચ વર્ષ પછી મામા-ભાલેજનું મિલન કરાવાયું હતું. ભાલેજનો જણાવ્યા અનુસાર ગામ લોકોએ એવું કહેલું કે, ગંગા નદી કિનારે ધંધો કરતો આ યુવાન જોગીસિંહ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે. ત્યાર બાદ તેનું સારામણું પણ કરી દેવામાં આવ્યું,પણ વડાપ્રધાનશ્રીનાં જન્મદિને તે જીવતો મળી આવતાં પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. ભુજ શહેર ભાજપ આગેવાનો આશિકાબેન ભટ્ટ, શ્રી બાલકૃષ્ણ મોતા, જયદિપસિંહ જાડેજા, અશોક્ભાઇ હાથી, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંત ઠક્કર, હિરેન રાઠોડ, નિકુલ ગોરે તેને હારતોરા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજતા જાડેજા, સુરેશભાઇ મહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અખોટી, રફીક બાવા, કીરીટસિંહ જન્યુજા સહભાગી બન્યા હતા.