શ્રી સમસ્ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ-કચ્છ દ્વારા માનવજ્યોતને વિશિષ્ટ સેવા સન્માનપત્ર અર્પણ કરાયું

 

શ્રી સમસ્ત કચ્છ જિલ્લા અબોટી સમાજ કારોબારી સમિતિ તથા શ્રી સમસ્ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ કચ્છ દ્વારા કોરોના સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી લોકોને મદદરૂપ બનવા તથા ભૂખ્યાને ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી તથા કનૈયાલાલ અબોટીને સાલ ઓઢાળી સન્માનપત્ર અર્પણ કરી તેઓશ્રીની સેવાઓને બિરદાવવામાં આવેલ. 

શ્રી સમસ્ત કચ્છ જિલ્લા અબોટી સમાજ કારોબારી સમિતિ પ્રમુખ ગીરીશભાઈ વી. અબોટી, કશ્યપભાઈ જોષી, ભાવેશભાઈ અબોટી, બટુકભાઈ અબોટી, સિદ્ધાર્થભાઈ અબોટી ઉસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. વ્યવસ્થા દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, અક્ષય મોતાએ સંભાળી હતી.