શ્રી રવામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માનકુવા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને રૂ. ૧ લાખનું અનુદાન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસનમુક્તિ જેવી ૪૯ પ્રવૃત્તિઓ કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને બાપાશ્રીનું મંદિર માનકુવા મધ્યે મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનાં પૂજ્ય સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માનકુવા દ્વારા રૂા. ૧ લાખનો ચેક ભક્તજનોની વિશાળ ઉપસ્થિતમાં અર્પણ કરવામાં આવેલ. પૂજયશ્રીએ સંસ્થાને અંતરનાં શુભાશિવાદ પાઠવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ મંડળ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ.