મિત્રની યાદમાં સેવા કાર્ય કરાયું

ભુજનાં પ્રવિણચંદ્રલાલજી પરમાર એકખૂબ જ નાના પરિવારમાંથી છે. જેમનાં દિલમાંમિત્ર પ્રત્યે અનેરી લાગણીઓ વહેતી રહી છે. મિત્ર પ્રત્યેનો ભાવ કયારે પણ ભૂલી શકતા થી. અને મિત્રની યાદમાં એની પુણ્યસ્મૃતિમાં એનાં આત્મશ્રેયાર્થે કાંઇક નાનું પણ સેવા કાર્ય કરતા રહે છે. મિત્રની યાદમાં સેવાકાર્ય કરી તેની યાદ સદાય દિલમાં તાજી રાખતા રહે છે. તેમનાં મિત્ર સ્વ. રમેશચંદ્ર છગનલાલ રામજી શાહ (અફીણવાલા) અંજારનાં સ્મરણાર્થે તેમણે માનવજ્યોત સંસ્થા ભુજને રૂપિયા પાંચ હજારનો ચેક અર્પણ કરી મિત્ર પ્રત્યેની ભાવનાઓ અને લાગણીઓને પ્રગટતી રાખી છે. આ જ્યોતનાં પ્રકાશને ચારે બાજુ પ્રસરાવતા રહ્યા છે. ભુજ નગરપાલિકાનાં પૂર્વકર્મચારી પ્રવિણચંદ્ર લાલજી પરમારની નિષ્ઠાપૂર્વકની ફરજને આજે પણ લોકો યાદ કરે છે. આ પ્રસંગે કે.સી. શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રબોધ મુનવરે આભાર વ્યક્ત કર્યો હતો.