વર્ધમાનનગર-કચ્છનાં સહિયર મહિલા મંડળે નવા વર્ષે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી પુન્યનું કાર્ય કરી નવા વર્ષની અનોખી ઉજવણી કરી હતી. આ કાર્યમાં મંડળનાં ૬૦ બહેનો સાથે જાડાયા હતા.
વર્ધમાનનગરનાં સરપંચ શ્રી જ્યોતિબેન વિકમશી, કલ્પનાબેન ઝવેરી, સહિયર મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન શાહ, પનાબેન શાહ, કલ્પાનાબેન દેસાઇ, લક્ષાબેન, સંગીતાબેન સંઘવી, ભાવનાબેન વોરા, મોહિનીબેન શાહ, જયાબેન મુનવર તથા મંડળના સભ્યોએ રક્ષકવનની પણ મુલાકાત લીધી હતી.
માનવજ્યોત સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી ગુલાબ મોતાએ આવકાર આપ્યો હતો.