માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે સર્વ પિતૃ શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી. એકત્રીસ પરિવારો આશ્રમ મધ્યે શ્રાદ્ધની વિધિમાં જોડાયા હતા. નારાયણ સરોવરનાં પ્રખ્યાત મારાજ અને સેડાતા મહાદેવ મંદિરનાં પુજારી દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રાદ્ધની વિધિ કરાવી હતી. શ્રાદ્ધનો મહિમા કથા સ્વરુપે સમજાવ્યો હતો. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે પિતૃઓને પાણી અર્પણ કરવામાં આવેલ. સમુહ આરતી યોજાઇ હતી.
ઉપસ્થિત પરિવારોએ 70 જેટલા આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.