ભુજ વિસ્તારમાં ૭૦૦ મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઝુંપડા-ભૂંગા-કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ પરિવારોનાં ૭૦૦ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. તેમજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ગરીબો અને શ્રમજીવીકોના ઘર સુધી પહોંચી જઈ મહિલાઓને હાથો હાથ સાડીઓ આપવામાં આવતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. 

ગરીબ અને શ્રમજીવી મહિલાઓ દિપાવલી પર્વ મનાવી શકે તેવા હેતુ અને ઉદેશ સાથે સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. 

સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજા, મુરજીભાઈ ઠક્કર, પ્રવિણ ભદ્રાની ઉપસ્થિતિમાં પ્રારંભે ૪૧ મહિલાઓને સાડીઓ અર્પણ કરી વિતરણ કાર્ય શરૂ કરાયું હતું. સાંજ સુધી ૭૦૦ મહિલાઓને સાડીઓ અર્પણ કરાઈ હતી. 

કાર્યક્રમનું સંચાલન શંભુભાઈ જોષીએ જયારે આભાર દર્શન પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરેલ. વ્યવસ્થામાં આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, અક્ષય મોતા, સલીમ લોટાએ સહકાર આપેલ.