દાતાશ્રી આકાશ ગણેશ પટેલ તથા તુલસી ફેશન મોલ દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ગરીબોનાં ઝુંપડે જઇ ૨૫૦ ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આકાશ પટેલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હોટેલ સહારા પેલેસ દ્વારા મોહમદહયાત ચાકીનાં સહયોગથી ૫૦ ધાબડા જરૂરતમંદોને માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શન હેઠળ વિતરણ કરાયા હતા. દાતાશ્રી માતુશ્રી દેવકુંવરબેન તથા પિતા ડો. મેઘજી વેલજી ધરમશીં હસ્તે સુપુત્રીઓ ડો. ઉર્વશીબેન, પ્રિયવંદાબેન, વિધાતાબેન, તક્ષશીલાબેન ગામ ગોરખડી હાલે મુલુન્ડ મુંબઇનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શન હેઠળ ૫૦ જરૂરતમંદ પરિવારોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ અપવામાં આવ્યું હતું. આમ ૩૫૦ પરિવારોને ઠંડી સામે રક્ષણ અપાયું હતું.